હળદરમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટીઑકિસડન્ટ, કર્ક્યુમિન વગેરે ગુણધર્મો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વાયગલ રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.
કાચી હળદરના પાવડરને પાણીમાં નાખીને ઉકાળો અને પછી તેને ગાળી લો અને દરરોજ ખાલી પેટ પીવો, તમે તેમાં લીંબુનો રસ અને મધ પણ ઉમેરી શકો છો.
ચોમાસામાં શરદી અને ખાંસીનું જોખમ રહેલું છે, તેનાથી બચવા માટે તમા રોજ સવારે હળદરવાળું પાણી પીવું જોઈએ.
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ વાયરલ રોગોનું જોખમ ઘટાડે છે અને ચેપ સામે લડવાની ક્ષમતા વધારે છે.
હળદરમાં રહેલા બળતરા વિરોધી ગુણો સાંધાના દુખાવા અને સોજા ઘટાડે છે. વરસાદને કારણે હાડકાની સમસ્યાઓ વધે છે, જેનાથી બચવા માટે તમે હળદરના પાણીનું સેવન કરી શકો છો.
ચોમાસામાં ત્વચા પર ખીલ દેખાવા લાગે છે, જેના પર તમે હળદરનો પેસ્ટ લગાવી શકો છો અને હળદરનું પાણી પણ પી શકો છો. આનાથી ખીલ થવાનું જોખમ દૂર થાય છે અને ત્વચા અંદરથી સ્વસ્થ બને છે.
હળદર પાચન ઉત્સેચકોનું ઉત્પાદન વધારે છે. દરરોજ સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે, જેનાથી કબજિયાત, એસિડિટી, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
ચોમાસામાં શ્વાસ લેવામાં તકલીફ, લીવર સ્વસ્થ, શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર કરવા ઉપરાંત હૃદય અને મગજ માટે ફાયદાકારક છે.