ગર્ભમાં 7 મહિના બાદ બાળક માતાનો અવાજ સાંભળવા લાગે છે. એવામાં ગર્ભાવસ્થા દરમિયાન ધાર્મિક પુસ્તકો વાંચવાથી બાળકમાં સકારાત્મક વિચારો આવશે.
સંગીત સાંભળવાથી માતા રિલેક્સ થાય છે અને બાળકોને પણ સંગીત સારુ લાગે છે. સ્ટડી અનુસાર, સંગીત સાંભળવાથી માતા અને બાળક બન્નેનો તણાવ ઓછો થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી પ્રેગ્નેન્ટ મહિલાઓ રિલોક્સ અને શાંત રહે છે. જેથી બાળક શારીરિક અને આધ્યાત્મિક રુપે સ્વસ્થ રહે છે.
ગર્ભાવસ્થામાં ચોથા મહિનાથી નવમા મહિના સુધી ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે. જે શિશુના માનસિક અને શારીરિક વિકાસ માટે ફાયદેમંદ હોય છે
ગર્ભ સંસ્કારનો અર્થ શિશુને સારા સંસ્કાર આપવાનો છે. જે ગર્ભધારણથી પહેલા શરૂ અને ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાનના સમય સુધી ચાલે છે.
એવું મનાય છે કે, શિશુનો માનસિક અને ધાર્મિક વિકાસ ગર્ભમાં જ શરૂ થઈ જાય છે અને આ સમયે તેમની પર્સનાલિટી પણ વિકસિત થાય છે. બાળકના 50 ટકા મગજનો વિકાસ તો ગર્ભની અંદર જ થઈ જાય છે.
ભારતીય સંસ્કૃતિ અનુસાર, ગર્ભથી શિશુને સારી શિક્ષા આપવાની શરૂ કરી દેવી જોઈએ. મહાભારતમાં પણ અર્જુનના પુત્ર અભિમન્યૂની માતાના ગર્ભમાં જ યુદ્ધની નીતિઓ શીખી હતી.