આ ભારતીય ક્રિકેટર્સ નોનવેજ એટલે કે માંસાહારનું સેવન કરતાં નથી


By Nileshkumar Zinzuwadiya20, Dec 2024 04:10 PMgujaratijagran.com

શાકાહાર ડાયટ

મીડિયા અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટર રોહિત શર્મા શાકાહારી ડાઈટ ફોલો કરે છે. તેઓ પ્રોટીનથી ભરપૂર ફૂડ્સ પોતાના આહારમાં સામેલ કરે છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલીનું નામ પણ નોનવેજ નહીં ખાનાર ખેલાડીઓમાં સામેલ છે. વિરાટ વર્ષ 2018થી વેગન ડાયટ ફોલો કરે છે.

શિખર ધવન

શિખર ધવન પણ ફિટનેસને લઈ ખૂબ જ સાવધાન છે. તેઓ પોતાની જાતને ફિટ રાખવા માટે શાકાહારી ભોજનનું સેવન કરે છે.

સુરેશ રૈના

ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના શાકાહારી આહારનું સેવન કરે છે. તેમનુ માનવું છે કે શાકાહારી ભોજન કરવાથી શરીરને વધારે એનર્જી મળે છે.

ભૂવનેશ્વર કુમાર

ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના સ્ટાર બોલર રહી ચુકેલા ભુવનેશ્વર કુમાર પણ શાકાહારી ફૂડ્સને ડાયટમાં સામેલ કરતા હતા.

મનીષ પાન્ડે

એક સમયે ભારતીય ટીમનો હિસ્સો રહેલા મનીષ પાન્ડે પણ શાકાહારી ભોજનને પોતાના ડાયટ્સમાં સામેલ કરતા હતા.

શું વિનોદ કાંબલી રાજકારણમાં જવા માંગતા હતા ? આ પાર્ટીમાંથી ચૂંટણી પણ લડ્યા