10 મિનિટમાં થાક દૂર કરીને એનર્જી વધારશે આ યોગાસનો, વિશ્વાસ ના હોય તો કરી જુઓ


By Sanket M Parekh04, Oct 2023 04:18 PMgujaratijagran.com

થાક

જો તમને થોડું કામ કરવાથી પણ થાક અને નબળાઈ લાગતી હોય, તો તમારે ડાયટનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

યોગાસન

એવામાં અમે તમને કેટલાક યોગાસન વિશે જણાવીશું, જેને કરવાથી દિવસભરનો થાક આંખના પલકારામાં દૂર થઈ જશે.

સેતુબંધાસન

આ યોગાસન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેનાથી થાક નથી અનુભવાતો અને દિવસભર એનર્જી જળવાઈ રહે છે.

કેવી રીતે કરશો

આ આસન કરવા માટે સૌ પ્રથમ પીઠના બળે સૂઈ જાવ. જે બાદ ઘૂંટણને વાળી દો. જે બાદ હાથ સીધા કરીને એડીઓને પકડવાનો પ્રયાસ કરો. આમ કરતા સમયે છાતીને ઉપરની તરફ રાખો.

કેટલી વાર કરશો

સેતુબંધાસન મુદ્દામાં 30 સેકન્ડ સુધી રહો. જે બાદ બૉડીને રિલેક્સ કરો. આ આસન દરરોજ કરવાથી મૂડ પણ સારો રહે છે અને થાક નથી અનુભવાતો.

બાલાસન

આ આસન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. જેનાથી થાક દૂર થાય છે અને એનર્જી ભરપુર રહે છે.

કેવી રીતે કરશો

આ આસન કરવા માટે સૌ પ્રથમ વજ્રાસનની મુદ્દામાં બેસીને શ્વાસ લો અને હાથને ઉપર ઉઠાવો. આમ કરતા સમયે હથેળીઓને દૂર-દૂર રાખો. જે બાદ શ્વાસ છોડતા નીચે નમો અને હથેળી વડે જમીનને સ્પર્શો. થોડીવાર સુધી આ મુદ્દામાં રહો અને પછી રિલેક્સ થઈ જાવ.

ડાયાબિટીસની સમસ્યામાં નિયમિત દૂધીનું જ્યૂસ પીવો, અન્ય ફાયદા જાણીને સ્તબ્ધ થઈ જશો તમે