શ્રાવણ સોમવાર વ્રત: ગર્ભાવસ્થામાં ઉપવાસ કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ


By Kisankumar Sureshkumar Prajapati27, Jul 2025 04:59 PMgujaratijagran.com

સોમવાર વ્રત

શ્રાવણ સોમવાર વ્રત ધાર્મિક દૃષ્ટિએ ખૂબ ખાસ હોય છે, પરંતુ જો તમે ગર્ભાવસ્થામાં ઉપવાસ રાખી રહ્યા છો, તો કેટલીક જરૂરી સાવચેતીઓ ચોક્કસ અપનાવો.

ડૉક્ટરની સલાહ જરૂરી

ઉપવાસ રાખતા પહેલા તમારી ગાયનેકોલોજિસ્ટની સલાહ લો. ગર્ભાવસ્થામાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શુગર લેવલ ઘટી શકે છે, જેનાથી માતા અને બાળક બંને પર અસર પડે છે.

હાઈડ્રેટેડ રહો

ઉપવાસ દરમિયાન તરસ ઓછી લાગી શકે છે, પરંતુ પાણીની કમીથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. નાળિયેર પાણી, છાશ, સાદું પાણી અને તાજા જ્યુસ લેતા રહો જેથી શરીર હાઈડ્રેટેડ રહે.

લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો

આખો દિવસ ભૂખ્યા રહેવું નુકસાનકારક હોઈ શકે છે. થોડી-થોડી વારે ફળ, મખાના, ડ્રાય ફ્રુટ્સ અથવા ફ્રૂટ ચાટ લો જેથી શરીરને જરૂરી ઊર્જા અને પોષણ મળતું રહે.

તળેલી-શેકેલી વસ્તુઓ ન ખાઓ

કુટ્ટુના લોટની પૂરી, તળેલા બટાકા જેવી વસ્તુઓથી પરહેજ કરો. તેના બદલે દૂધીનું શાક, ખીચડી, મખાના અને દહીં જેવી પૌષ્ટિક વસ્તુઓ ખાઓ જે પચવામાં સરળ હોય.

જરૂરી પોષણ લો

વ્રત દરમિયાન પણ ડાયટમાં પ્રોટીન, આયર્ન, ફાઈબર, હેલ્ધી ફેટ અને કાર્બ્સ શામેલ કરો. આ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ડ્રાય ફ્રુટ્સ પણ લો.

વધુ ન ખાવ

એક વખતમાં વધુ ન ખાવ થોડા-થોડા અંતરે ખાવાની આદત બનાવો. એક વખતમાં ખૂબ વધુ ખાવાથી ઉલટી, ભારેપણું અને ગેસની સમસ્યા થઈ શકે છે. હળવો અને સુપાચ્ય ખોરાક લો.

થાકથી બચો

વ્રત દરમિયાન કામનો બોજ ન લો. સગર્ભા સ્ત્રીઓને થાક ઝડપથી લાગે છે, તેથી દિવસમાં આરામ કરો. જરૂર કરતાં વધુ નબળાઈ અનુભવાય તો વ્રત છોડો. જો ચક્કર, ઉલટી, થાક અથવા બ્લડ પ્રેશર જેવી તકલીફો હોય તો વ્રત ન રાખો.

બ્લેડર (મૂત્રાશય) કેટલો પેશાબ સંગ્રહ કરી શકે છે?