સવારે ઉઠતા જ આ વસ્તુઓ જોવા થી આખો દિવસ પરેશાન રહેશો


By Kisankumar Sureshkumar Prajapati08, Aug 2025 05:48 PMgujaratijagran.com

સવારનો સમય છે જરૂરી

હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર, સવારનો સમય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તમારે સવારે હંમેશા સકારાત્મક વિચારવું જોઈએ, જેથી તમારો આખો દિવસ સારો જાય.

અરીસો ન જુઓ

તમારે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં અરીસો ન જોવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. તમે હંમેશા પરેશાન જ રહેશો.

બંધ ઘડિયાળ ન જુઓ

સવારના સમયે તમારે ક્યારેય બંધ ઘડિયાળ ન જોવી જોઈએ. બંધ ઘડિયાળ જોવાથી તમારા સારા દિવસોનો અંત આવી શકે છે અને તેના કારણે તમારા કામ પણ બગડી શકે છે.

એઠાં વાસણ ન જુઓ

જો તમે દેવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો તેના માટે તમારે ક્યારેય સવારના સમયે એઠાં વાસણ ન જોવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.

પડછાયો ન જુઓ

એવું કહેવાય છે કે સવારના સમયે તમારે ક્યારેય કોઈ બીજા વ્યક્તિનો પડછાયો ન જોવો જોઈએ. તેનાથી તમારો આખો દિવસ બરબાદ થઈ શકે છે.

પક્ષી ન જુઓ

સવારના સમયે તમારે પક્ષીઓને ન જોવા જોઈએ. આ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વળી, તમારું નસીબ પણ તમારો સાથ છોડી શકે છે.

સવારે હથેળીઓ જુઓ

સવારે આ વસ્તુઓને જોવાને બદલે તમારે તમારી હથેળીઓ જોવી જોઈએ. તેનાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ શકે છે. તમારા બગડેલા કામ પણ બની શકે છે.

આ આઇડિયા વાપરો, હર કોઈ તમારી વેલ્યુ કરશે