વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં તુલસીનો છોડ સુકાવવો તે બિલકુલ શુભ માનવામાં આવતુ નથી
જો તુલસીનો છોડ સમૃદ્ધિનું પ્રતિક છે તો સૂકા તુલસી આર્થિક નુકસાનનું કારણ માનવામાં આવે છે.
ઠંડીની મોસમમાં ઘણી વખત તુલસીનો છોડ સુકાવા લાગે છે. પણ કોઈ કારણ વગર આમ થાય છે તો આર્થિક નુકસાનના સંકેત છે.
એવી માન્યતા છે કે ઘણી વખત પિતૃદોષને લીધે તુલસીનો છોડ સુકાવા લાગે છે.
તુલસીનો છોડ ક્યારેય છત પર રાખવો જોઈએ નહીં. તુલસીને છત પર રાખવાથી બુધ ગ્રહની સ્થિતિ નબળી પડે છે.
તુલસીને ક્યારેય છત પર રાખવા જોઈએ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે બુધને વ્યાપાર અને ધનના ગ્રહનો પ્રતિક માનવામાં આવે છે.
જો તુલસીનો છોડ સૂકાઈ જાય છે તો આ છોડને મૂળ સહિત ઉખાડીને પવિત્ર નદી, તળાવ અથવા જળાશયોમાં વિસર્જીત કરવા જોઈએ.