થોડું કામ કરીને અને સવારે ઉઠીને જો તમને થાક અનુભવાય છે તો, આ શરીરમાં પોષણની ઉણપનું કારણ હોઇ શકે છે.
થાક એનીમિયા, થાઇરોઇડ, ડાયાબિટીસ, ફેફસાં અને હૃદય રોગના કારણે પણ હોઇ શકે છે.
જો તમને આ સમસ્યા ના હોય તો, તમે ડાયટમાં ફેરફાર કરીને થાકની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
કેળામાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન અને એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે. આ થાકને દૂર કરવમાં મદદ કરે છે.
દાડમ શરીરમાં એનિમિયાની ઉણપને દૂર કરવાનું કામ કરે છે. તમારે કમજોરીને દૂર કરવા માટે દાડમનું સેવન કરવું જોઇએ.
શુદ્ધ ઘીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ઘીનાં ઉપયોગથી થાક અને કમજોરીની સમસ્યાને દૂર થાય છે.
શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે પાલકને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. થાક અને સુસ્તીને દૂર કરવા માટે ડાયટમાં લીલા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો.