નવરાત્રી દરમિયાન ભક્ત તુલસી સાથે સંકળાયેલ કેટલાક વિશેષ ઉપાય કરે છે તો માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેમાં માતા લક્ષ્મીનો નિવાસ રહેલો છે.
આ સંજોગોમાં નવરાત્રી દરમિયાન લોકો વિશેષ રીતે તુલસીના સ્થાન આજુબાજુ ખૂબ જ સફાઈ રાખે છે. કારણ કે માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે.
નવરાત્રીના સમયમાં માતા દુર્ગાના સમયમાં દીપ પ્રગટાવ્યા બાદ એક દિવો તુલસીમાતા પાસે પણ પ્રગટાવો.
એવું માનવામાં આવે છે કે તુલસી પાસે દિવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે ઘરમાં પૈસાની સમસ્યા પણ દૂર થાય છે.