ભગવાન કુબેરનું એવું મંદિર, જ્યાં ક્યારેય તાળુ લગાવવામા આવતું નથી


By Nileshkumar Zinzuwadiya28, Oct 2024 03:57 PMgujaratijagran.com

કુબેર મંદિર

મધ્ય પ્રદેશના મંદસૌરના ખિલચીપુરામાં કુબેર મંદિર આવેલ છે. આ મંદિરમાં કુબેરજી શિવ પરિવાર સાથે એક જ મંદિરમાં નિવાસ કરે છે.

પ્રાચીન મૂર્તિઓ

ઈતિહારકારોના મતે મંદસૌરમાં અનોખા મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ સેંકડો વર્ષો જૂની છે. આ મંદિરના ગર્ભગૃહમાં આજે પણ તાળુ લગાવવામાં આવતુ નથી.

મંદિરમાં દરવાજા પણ નથી

ધામના પૂજારીઓના મતે કુબેરજીના આ મંદિરમાં અગાઉ પણ કોઈ દરવાજા ન હતા. આ મંદિરમાં ધનતેરસના દિવસે વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે.

તંત્ર પૂજા

ખિલચીપુરા સ્થિત કુબેર મંદિરમાં ધનતેરસના દિવસે સવારે 4 વાગે તંત્ર પૂજ કરવામાં આવે છે. આ પૂજાથી શ્રદ્ધાળોની તમામ મનોકામના પૂરી થાય છે.

ચતુર્ભુજ મૂર્તિ

ખિલચીપુરાના કુબેર મંદિરમાં કુબેરજીની ચતુર્ભૂજ મૂર્તિ સ્થાપિત છે. તેમના એક હાથમાં ધનની પોટલી, બીજા હાથમાં શસ્ત્ર તથા અન્ય એકમાં ગ્લાસ છે.

Diwali 2024: દિવાળી પર લક્ષ્મી-ગણેશની જૂની મૂર્તિની પૂજા કરવી કેટલું યોગ્ય?