શ્રાવણ મહીનો ભગવાન શિવને સમર્પિત કરવામા આવે છે, ચોમાસાના આનંદદાયક વાતાવરણ અને આ પવિત્ર મહિનામાં તમે ભગવાન શિવના આ મંદિરોની મુલાકાત લઈ શકો છો. તો આવો જાણીએ ગુજરાતમાં આવેલા આ પ્રખ્યાત શિવ મંદિરો વિશે
12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ સોમનાથ મંદિર આ યાદિમાં પહેલા સ્થાને આવે છે. આ મંદિર ગુજરાતના ગિર સોમનાથમાં આવેલું છે. મંદિરના દર્શન કરી તમે સોમનાથના દરિયાકિનારાની પણ મજા લઈ શકો છો
નાગેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે, આ જ્યોતિર્લિંગ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે.
કોટેશ્વર મહાદેવ મંદિર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. અહીં તમે કચ્છના સુંદર રણની પણ મુલાકાત પણ લઈ શકો છો
આ શ્રાવણમાં તમે ભાવનગર જિલ્લાના કાળિયાક જીલ્લામા આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.
આ શિવ મંદિર ગિરનારના પર્વતની તળેટીમા આવેલું પ્રસિધ્ધ યાત્રાધામ છે. અહીં ભગવાન શિવ મંદિર સ્વંય પ્રકટ થયા હતા તેવી લોકમાન્યતા છે
ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલું આ મંદિર 400 વર્ષ જૂનું અતિ પૌરાણિક છે, અહીં મહાદેવની 60 ફૂટથી ઊંચી ભવ્ય પ્રતિમા આવેલી છે.
17મી સદીમા નિર્માણ પામેલું આ મંદિર ભગવાન હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે જેઓ નાગર બ્રાહ્મણોના ઇષ્ટ દેવ માનવામાં આવે છે. આ મંદિર ગુજરાત વડનગર જીલ્લામાં આવેલું છે
રાજકોટ શહેરથી 77 કિલોમીટરના અંતરે જડસણ પાસે આવેલું આ મંદિર મીનલ દેવીએ બંધાવ્યું હતું. આ મંદિર ઘેલા નદીના કિનારે આવેલું છે તેથી તેનું નામ ઘેલા સોમનાથ મહાદેવ આપવામાં આવ્યું છે