Vastu Shastra Tips: જાણો હનુમાનજીની તસવીર ઘરમાં કઈ બાજુ લગાવવી જોઈએ?


By Bhavesh Chaudhary27, Jul 2024 04:54 PMgujaratijagran.com

ભગવાન હનુમાનજી

ઘણીવાર લોકો સમસ્યાનો સામનો કરતા હોય છે. એવામાં લોકોને ઘરમાં પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવી જોઈએ. ચાલો જાણીએ કઈ દિશામાં લગાવવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર

ઘરમાં કોઈપણ વસ્તુ રાખતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

પંચમુખી હનુમાનજીની તસવીર

ઘરમાં પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવી એ શુભ માનવામાં આવે છે. જેનાથી જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થવા લાગે છે.

આ દિશામાં લગાવો તસવીર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પંચમુખી હનુમાનજીની તસવીર મુખ્ય દરવાજા આગળ લગાવી એ શુભ માનવામાં આવે છે. આ ખરાબ શક્તિઓને ઘરમાં પ્રવેશ કરતા અટકાવે છે.

આ દિશામાં મુખ રાખો

ભગવાન હનુમાનજીની તસવીરનું મુખ દક્ષિણ દિશામાં અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી તે શુભ માનવામાં આવે છે.

નકારાત્મક ઉર્જાથી છૂટકારો

ભગવાન હનુમાનની તસવીર મુખ્ય દ્વાર પર લગાવવાથી નકારાત્મક ઉર્જાથી છૂટકારો મળે છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

વાસ્તુ દોષથી છુટકારો મેળવો

ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં હનુમાનજીની તસવીર લગાવવાથી વાસ્તુ દોષથી છૂટકારો મળે છે અને વ્યક્તિને કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.

બેડરૂમમાં તસવીર ન લગાવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનજીની તસવીર બેડરૂમમાં લગાવવી જોઈએ નહીં. આ લગાવવાથી તમારા કામમાં અવરોધ આવી શકે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Astrology Tips: શ્રાવણ મહિનામાં કરો આ વાસ્તુ ઉપાય, ભગવાન ભોલેનાથ થશે પ્રસન્ન