રક્ષાબંધન પર આ સમયે બાંધો રાખડી


By Kajal Chauhan03, Aug 2025 05:28 PMgujaratijagran.com

હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનનો તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે.

બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ

દાયકાઓ પછી રક્ષાબંધન પર દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે. આ સંયોગ વર્ષ 1930 પછી બન્યો છે. આ યોગમાં જો તમે રક્ષાબંધન પર યોગ્ય સમયે રાખડી બાંધશો તો તમારા જીવનમાં પ્રગતિ થઈ શકે છે.

રાખડી બાંધવાનો શુભ સમય

રાખડી બાંધવાનો યોગ્ય સમય સવારે 05 વાગીને 21 મિનિટથી લઈને બપોરના 01 વાગીને 24 મિનિટ સુધીનો છે.

કાળા કપડાં ન પહેરો

રક્ષાબંધનના શુભ અવસર પર બહેનોએ કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. કાળો રંગ અશુભતા તરફ ઈશારો કરે છે અને તેનાથી તમારા જીવનમાં પરેશાની આવી શકે છે.

ખાટી કે કડવી વસ્તુઓ ન ખવડાવો

રક્ષાબંધનના દિવસે તમારે તમારા ભાઈને ખાટી કે કડવી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ. તેનાથી તહેવારના રંગમાં ભંગ પડી શકે છે. આ દિવસે તમારે તમારા ભાઈને મીઠાઈ ખવડાવવી જોઈએ.

ભાઈના ઘરે ખાલી હાથે ન જાવ

જો તમે ભાઈને રાખડી બાંધવા જઈ રહ્યા છો, તો ભાઈના ઘરે ખાલી હાથે ન જાવ. પૂજાની થાળીમાં રાખડી, મીઠાઈ, દીવો, અક્ષત અને ફૂલ લઈને જાવ.

રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ આ કામ ન કરો