આ ફૂલોના છોડ ઘરમાં રાખવાથી આવે છે સકારાત્મક ઉર્જા


By Pandya Akshatkumar22, Oct 2023 04:11 PMgujaratijagran.com

છોડનું મહત્વ

વાસ્તુશાસ્ત્રમાં છોડનું ખૂબ મહત્વ હોય છે. કેટલાક છોડને ખૂબ શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે.

સુગંધીદાર છોડ

વાસ્તુ અનુસાર ત્રણ એવા સુગંધીદાર છોડ છે જેને પોતાના ઘરમાં લગાવવા જોઇએ. તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ આવે છે.

ગુલાબનું ફૂલ

ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં ગુલાબનો છોડ રાખવાથી સુખ-શાંતિ આવે છે.

આ દિશામાં લગાવો છોડ

ગુલાબના છોડને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઇએ. તેનાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આર્થિક સમસ્યા દૂર થાય

આ છોડને બાલકની કે આંગણામાં લગાવી શકો છો. જે ઘરમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાને દૂર કરવાનું કાર્ય કરે છે.

જાસૂદનું ફૂલ

વાસ્તુશાસ્ત્રમાં જાસૂદના ફૂલને ખૂબ શુભ માનવામાં આવે છે. જેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

પૂજામાં ઉપયોગ

આ ફૂલનો ઉપયોગ પૂજા-અર્ચનામાં પણ કરવામાં આવે છે. હનુમાનજીને પણ આ ફૂલ ચઢાવવામાં આવે છે.

23 ઓક્ટોબર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today October 23, 2023