કંટોલા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેને સેવનથી શરીરને ખૂબ ફાયદો થાય છે. ચાલો જાણીએ તેના ફાયદા...
કંટોલામાં વિટામિન સી હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
કંટોલામાં વિટામિન A પણ હોય છે, જે ત્વચા અને આંખો માટે ફાયદાકારક છે. તેથી વૃદ્ધો અને બાળકો માટે તેનું સેવન કરવું ફાયદાકારક બની શકે છે.
કંટોલામાં વિટામિન B6 હોય છે, જે મનને શાંત કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત તે ચેતા કાર્યને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
કંટોલામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.
કંટોલામાં શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો ડોક્ટરના સુચન બાદ સેવન કરવું જોઈએ.