જગન્નાથ રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? જાણો ઈતિહાસ


By Kajal Chauhan24, Jun 2025 07:59 AMgujaratijagran.com

રથયાત્રા 2025 ક્યારે છે

જગન્નાથ રથયાત્રા 27 જુલાઈ 2025 ના રોજ છે. દર વર્ષની જેમ આ વખતે પણ લાખો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉમટશે.

1000 યજ્ઞ કરવા જેટલું ફળ

એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવાથી 1000 યજ્ઞ કરવા જેટલું જ ફળ મળે છે.

ક્યારે થઈ હતી શરૂઆત

રથયાત્રા ઉત્સવ 12મી અને 16મી સદીની વચ્ચે શરૂ થયો હતો. એવું માનવામાં આવે છે કે ઇતિહાસમાં ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ નગર ભ્રમણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જગન્નાથે બહેનની ઈચ્છા પૂર્ણ કરી

ભગવાન જગન્નાથ તેમની બહેનની ઇચ્છા પૂર્ણ કરવા માટે 3 રથ બનાવ્યા હતા અને સુભદ્રાને નગર ભ્રમણ કરવા માટે રથયાત્રા પર લઈ ગયા હતા.

આવી રીતે થઈ રથયાત્રાની શરૂઆત

રથયાત્રા પર નીકળ્યા હતા, ત્યારે તેઓ રસ્તામાં તેમના મામાના ઘરે પણ ગયા હતા અને 7 દિવસ ત્યાં રહ્યા હતા. જે પછી દર વર્ષે આ રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ.

અન્ય માન્યતાઓ

કેટલાક લોકો કહે છે કે તે ભગવાન કૃષ્ણની તેમની માતાના જન્મસ્થળની મુલાકાતને ચિહ્નિત કરે છે. અન્ય લોકો એવું માને છે કે તેની શરૂઆત રાજા ઇન્દ્રદ્યુમ્નથી થઈ હતી જેમણે ધાર્મિક વિધિઓ શરૂ કરી હતી.

આજે આ રાશિઓનો શુભ કામ કરવા માટે સારો દિવસ