Independence Day 2025: તિરંગો ફરકાવતા પહેલા જાણી લો નિયમો


By Sanket M Parekh14, Aug 2025 04:14 PMgujaratijagran.com

રાષ્ટ્રધ્વજ

દર વર્ષે 15 ઓગસ્ટના રોજ તિરંગો ફરકાવવામાં આવે છે. આ ખાસ અવસરે અનેક લોકો પોતાના ઘર પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. એવામાં તેની સાથે સંકળાયેલા નિયમો તમારે જાણી લેવા જોઈએ.

ક્યારે તિરંગો ફરકાવવો

ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, તિરંગાની ગરિમા અને સન્માનનો અનાદર કર્યા વિના તેને કોઈપણ અવસરે ફરકાવી શકાય છે.

આકાર પર ધ્યાન

તિરંગો કોઈપણ આકારનો હોઈ શકે છે, પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 હોવો ફરજિયાત છે.

ફરકાવવાનો સમય

પહેલાં રાષ્ટ્રધ્વજ સૂર્યોદય પછી જ ફરકાવવામાં આવતો હતો. જો કે હવે તિરંગો 24 કલાકમાં કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિના ઘર પર ફરકાવી શકાય છે.

ઉંધો ના ફરકાવશો

ધ્વજ ફરકાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને ઊંધો ન લહેરાવવામાં આવે, આવું કરવું ખોટુ ગણાય છે

તિરંગો ફરકાવવાની સાચી રીત

તિરંગાનો કેસરીયો ભાગ હંમેશા ઉપર હોવો જોઈએ. આ ઉપરાંત ફાટેલો ધ્વજ ફરકાવો ખોટું ગણાય છે.

જમીન કે પાણીને ના સ્પર્શે

તિરંગો ફરકાવતી વખતે તે જમીન કે પાણીને સ્પર્શવો ના જોઈએ. આટલું જ નહીં, તિરંગાને કોઈ નુકસાન કે ફાટે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.

આવી રીતે ડિસ્પોઝ કરો

જો તિરંગામાં નુક્સાન જાય કે ફાટી જાય, તો તેને ડિસ્પોઝ કરવો જોઈએ, જેથી તેની ગરિમાને ઠેસ ના પહોંચે. એવું કહેવાય છે કે, આવા તિરંગાને સળગાવીને ડિસ્પોઝ કરવો જોઈએ.

Independence Day 2025: સ્વતંત્રતા દિને દેશભક્તિના આ 7 ગીત અચૂક સાંભળો