ખોરાકમાં વધારે પડી ગયેલા મીઠાનો સ્વાદ મિનિટોમાં આ રીતે કરો ઠીક


By Kisankumar Sureshkumar Prajapati03, Oct 2025 04:52 PMgujaratijagran.com

મીઠાનો સ્વાદ

મીઠાનો ઉપયોગ કોઈપણ વાનગીને સ્વાદિષ્ટ બનાવી શકે છે અને તેનો સ્વાદ બગાડી પણ શકે છે. ઘણીવાર રસોઈ બનાવતી વખતે ભૂલથી ખોરાકમાં વધારે મીઠું પડી જાય છે.

બટાકાનો ઉપયોગ

બટાકું સૌથી ઝડપથી મીઠાને શોષી લે છે. જો તમે ગ્રેવીવાળી કોઈ વાનગી બનાવી રહ્યા છો અને તેમાં મીઠું વધારે પડી ગયું હોય, તો સૌથી પહેલા એક બટાકું કાપો. કાપેલા બટાકાના ટુકડાઓને વાનગીમાં નાખી દો. પછી ધીમા તાપે વાનગીને થોડીવાર રહેવા દો. થોડી મિનિટો પછી જ્યારે તમે વાનગી ચાખશો, તો તેમાં મીઠું સામાન્ય જણાશે.

લીંબુનો રસ

ખોરાકમાં વધારે પડી ગયેલા મીઠાને બરાબર કરવા માટે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. તે ભોજનમાંથી વધારાનું મીઠું ઓછું કરવાની સાથે તેનો સ્વાદ પણ વધારી શકે છે.

દહીંનો ઉપયોગ

જો તમે એવી વાનગી બનાવી રહ્યા હોવ જેમાં દહીં ઉમેરી શકાય તેમ હોય, તો મીઠું ઓછું કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. વધારે મીઠુંવાળી દાળ અથવા શાકમાં એક-બે ચમચી દહીં નાખવાથી તેનો સ્વાદ વધી જશે. સાથે જ, ભોજનમાંથી વધારાનું મીઠું પણ ઓછું થઈ જશે.

લોટનો ઉપયોગ

ગ્રેવીવાળી વાનગીમાં વધારે થઈ ગયેલા મીઠાને ઓછું કરવા માટે તમે તેમાં લોટ પણ ભેળવી શકો છો. આ રીત તમને થોડી વિચિત્ર લાગશે, પરંતુ લોટ સૌથી ઝડપથી મીઠાને શોષી લેશે. મીઠું શોષી લીધા પછી લોટ ગ્રેવીની ઉપર તરવા લાગશે. તેને તમે ચમચીની મદદથી કાઢીને વાનગીનો આનંદ માણી શકો છો.

ખાંડ અને સરકો (વિનેગર):

ખાંડની મીઠાશની સાથે સરકાની એસિડિક પ્રકૃતિ વધારાના ખારા સ્વાદને દૂર કરી દે છે.

Wamiqa Gabbi એ આ ફિલ્મોથી ફેન્સના દિલ જીત્યાં