રોજ કેટલી વાટકી દાળ ખાવી જોઈએ


By Vanraj Dabhi15, Jun 2025 04:06 PMgujaratijagran.com

દાળ ખાવી

રોજ કેટલી વાટકી દાળ ખાવી જોઈએ, આ મામલે લોકો મુંજવણમાં મુકાઈ જતા હોય છે, આજે આપણે જાણીશું, કે રોજ આપણે કેટલી વાટકી દાળ ખાવી જોઈએ.

પ્રોટીનથી ભરપૂર

તેમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે, જેને ખોરાકમાં લેવાથી સ્વાસ્થ્યમાં ઘણા બદલાવ જોવા મળે છે.

કેટલું ખાવું

શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે તે માટે રોજ એક થી દોઢ વાટકી દાળ ખાવી જોઈએ, આ શાકાહારી લોકો માટે બેસ્ટ વિકલ્પ છે.

યોગ કસરત

જે લોકો કસરત કરે છે તેમણે રોજ બે વાટકી દાળ ખાવી જોઈએ, કારણ કે કસરત કરતા લોકોને પ્રોટીનની વધુ જરૂર પડે છે.

રોટલી શાક સાથે

સંતુલિત આહાર માટે માત્ર દાળ જ નહીં પરંતુ તેની સાથે શાક, રોટલી, ભાત અને સલાડ ખાવું જોઈએ. જે શરીરને મજબૂત બનાવે છે.

રોજ અલગ અલગ દાળ ખાઓ

દરરોજ ખોરાકમાં અલગ અલગ દાળ બનાવીને ખાવી જોઈએ, જે શરીરને બીમારી સામે રક્ષણ આપે છે.

અડદ અને ચણાની દાળ

ઘણા લોકોને અડદ અને ચણાની દાળ ખાધા પછી ગેસ અને એસિડિટી થવા લાગે છે, કારણ કે તે પાચનમાં ભારે હોય છે, તેથી મર્યાદિત માત્રામાં સેવન કરો.

અસ્વીકરણ

આ માત્ર તમને જાગૃત કરવા માટે માહિતી આપેલ છે, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લો.

Dry Mouth: વારંવાર મોઢું સૂકાઈ જતું હોય તો થઈ જાવ સાવધાન, બેદરકારી પડશે ભારે