અત્યારે બેવડી ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ગળામાં ખારાશ, ઉધરસ અને શરદી જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો કે તેનાથી બચવા માટે લોકો તરેહ-તરેહના ઉપાયો અજમાવતા હોય છે.
આજે અમે આપને કેટલાક એવા દેશી નુસખા વિશે જણાવીશું , જેને ફૉલો કરીને તમને છાતીમાં જામેલા કફમાંથી મુક્તિ મળી શકે છે.તો ચાલો તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે...
હળદરમાં કરક્યુમિન, ફાઇબર, પ્રોટીન, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, રિબોફ્લેવિન, વિટામિન-B6, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે.
તમે હળદરને તમારી ડાયટમાં અલગ-અલગ રીતે સામેલ કરી શકો છો. તમે હળદરની ચા પી શકો છો અથવા દૂધમાં હળદર મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.
છાતીમાંથી કફ કાઢવા માટે મુલેઠીનું સેવન કરી શકાય છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે.
મુલેઠીને ડાયટમાં અલગ-અલગ રીતે સામેલ કરી શકાય છે. તમે તેની ચા બનાવીને પી શકો છો અથવા મુલેઠીના પાવડરને દૂધમાં મિક્સ કરીને પી શકો છો.
છાતીના કફમાંથી રાહત આપવામાં તજ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં એન્ટી-સેપ્ટિક, એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો હોય છે
આ માટે તમે તજના પાણીનું સેવન કરી શકો છો, તેની ચા પી શકો છો, અથવા અલગ-અલગ વાનગીઓમાં પણ તજનો સમાવેશ કરી શકો છો.