Singhara Atta Benefits: શિયાળામાં શિંગોડા ખાવાના ફાયદા


By Vanraj Dabhi21, Nov 2024 12:41 PMgujaratijagran.com

શિંગોડા

શિંગોડાના લોટને પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. ઉપવાસ દરમિયાન તેને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

પોષક તત્વો

ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વગેરે પોષક તત્વો મળી આવે છે.

વજન ઘટાડે

શિંગોડામાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ઝડપથી ભૂખ નથી લાગતી, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

બ્લડ પ્રેશરના દર્દી

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શિંગોડાના લોટનું સેવન ફાયદાકારક છે. શિંગોડામાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એનર્જી

શિંગોડાના લોટમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે, જે દિવસભર શરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે.

વાળ માટે ફાયદાકારક

શિંગોડામાં પ્રોટીન, આયર્ન અને વિટામિન જેવા તત્વો મળી આવે છે, જે વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

પાચન સારું કરે

શિંગોડામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Walnut: પલાળેલા અખરોટનું પાણી પીવાના ફાયદા જાણો