દરરોજ સવારે ખાલી પેટ દાડમ ખાવ, અનેક બીમારીઓ તમારાથી દૂર રહેશે


By Sanket M Parekh12, Dec 2023 04:01 PMgujaratijagran.com

પાચન સબંધી સમસ્યા દૂર થશે

દાડમ ખાવાથી પેટ સબંધિત સમસ્યા દૂર રહે છે. જેના સેવનથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે અને અપચા અને ગેસ જેવી સમસ્યા દૂર રહે છે.

વજન કંટ્રોલ કરે

ખાલી પેટ દાડમ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જેમાં રહેલ ફાઈબર લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે.

હેલ્ધી સ્કિન

દાડમ સ્કિનને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ દાડમનું સેવન કરવાથી સ્કિન બહારથી જ નહીં, પરંતુ અંદરથી પણ ચમકવા લાગે છે. આ ઉપરાંત તે ખીલને થતા પણ રોકે છે.

લોહીની ઉણપ દૂર કરે

મોટાભાગે મહિલાઓમાં એનીમિયાની ફરિયાદ જોવા મળે છે. જેનાથી બચવા માટે તમારે દાડમને તમારી ડાયટમાં સામેલ કરવી જોઈએ. સવારે ખાલી પેટ દાડમનું જ્યૂસ ફાયદેમંદ નીવડે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ કરે

ઈમ્યૂનિટી વધારવા માટે ખાલી પેટ દાડમ ખાઈ શકો છો. જે શરીરમાં રોગોથી લડવાની ક્ષમતા વધારે છે. આ ઉપરાંત શરીરમાં એનર્જી પણ જાળવી રાખે છે.

હાર્ટ હેલ્ધી રાખે

હાર્ટને હેલ્ધી રાખવામાં દાડમ ફાયદેમંદ છે. જેમાં રહેલ એન્ટીઑક્સીડેન્ટ ગુણ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

દાડમમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદેમંદ હોય છે. જેનું સેવન કરવાથી બ્લડ પ્રેશન કંટ્રોલમાં રહે છે.

શિયાળામાં રોજ કાચે કાચા લીલા વટાણા ખાવાથી અઢળક સ્વાસ્થ્ય લાભ મળે છે, જાણી લો