ઘણા લોકો દિવસમાં બે ત્રણ વખત ન્હાતા હોય છે, જેનાથી શરીર તો સ્વસ્થ રહે છે સાથે સાથે મન પણ પ્રફુલીત રહે છે.
આપણે જ્યારે ન્હાઈએ ત્યારે આપણા મગજનો એક ભાગ શરીરની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મગજનો બીજો ભાગ અન્ય કાર્યો પરથી પોતાનું ધ્યાન હટાવી લે છે અને વિચારોમાં ખોવાઈ જાય છે. આ કારણે સારા વિચારો આવે છે.
ન્હાતી વખતે શરીરમાં મોટી માત્રામાં ડોપામાઇન મુક્ત થાય છે.
આ એક પ્રકારનો હોર્મોન છે જે વ્યક્તિને ઉત્તેજીત કરે છે અને ખુશ અનુભવ કરાવે છે.
ડોપામાઇનના વધતા રિલીઝ થયા બાદ માણસ રિલેક્સ ફિલ કરવા લાગે છે.
આપણે રિલેક્સ હોય ત્યારે વધુ વિચારી શકીએ છીએ અને સારા અને ખરાબનો નિર્ણય કરી શકીએ છીએ.
આ તકે આપણા મગજમાં વધુ ક્રિએટિવ આઈડિયા મળે છે.
જે વિદ્યાર્થીઓને પરીક્ષા હોય તેમણે એક્ઝામ પહેલાં ન્હાવું જોઈએ.
કારણ કે ડોપામાઇન રિલીઝ થતાં મન શાંત થાય છે અને પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરશે.