સ્પ્રાઉટ્સ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે શરીર માટે ખૂબ જ પોષ્ટિક હોય છે, પરંતુ શું તમે જાણો છો કે, સ્પ્રાઉટ્સને જરૂર કરતાં વધારે ડાયટમાં સામેલ કરવામાં આવે, તો સ્વાસ્થ્યને અનેક પ્રકારના ગંભીર નુકસાન થઈ શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..
સ્પ્રાઉટ્સમાં ફાઈબર અને પ્રોટીન હોય છે, જે પાચન તંત્ર પર પ્રેશર કરે છે. જેના પરિણામે ધીમે-ધીમે પાચન સબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
શરીરમાં પેટ ફૂલવાનું કારણ વધુ પડતા સ્પ્રાઉટ્સ ખાવા છે. તેમાં રાફિનોઝ નામનો એક પ્રકારનો કાર્બોંહાઈડ્રેટ હોય છે, જે તમારા ગેસ અને પેટ ફૂલવાનું કારણ બને છે.
કેટલાક લોકોને વધુ સ્પ્રાઉટ્સ ખાવાથી અનેક પ્રકારની એલર્જીનો સામનો કરવો પડે છે. આ એલર્જીને કારણે શરીર પર ફોલ્લીઓ અને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.
સ્પ્રાઉટ્સમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેનાથી લોકોને ફૂડ પોઈઝનિંગનો સામનો કરવો પડે છે.
કેટલાક સ્પ્રાઉટ્સ જેમ કે બ્રોકલી અને કાબુલી ચણામાં ગોઇટ્રોજેન્સ નામનું એક સંયોજન હોય છે, જે થાઇરોઇડની સમસ્યાઓ ઊભી કરી શકે છે.
સ્પ્રાઉટ્સમાં ઓક્સાલેટ નામનું એક સંયોજન હોય છે, જે કિડની સ્ટોનનું કારણ બની શકે છે. તેમને ખાવાથી ધીમે ધીમે આ સમસ્યા વધવા લાગે છે.