અલ્ઝાઇમરનું નામ સાંભળતાની સાથે જ મગજમાં સૌથી પહેલો વિચાર નબળી યાદશક્તિનો આવે છે. હકીકતમાં અલ્ઝાઈમરના કારણે વ્યક્તિની યાદશક્તિ નબળી થઈ જાય છે, તો ચાલો જાણીએ તેના શરૂઆતના લક્ષણો વિશે વિગતવાર જાણીએ..
હાલની જ ઘટના અને વાતચીતને ભૂલી જવી. ઉદાહરણ તરીકે, તાજેતરમાં કરેલા કામ યાદ ન રહેવા અથવા વારંવાર એ જ સવાલો પૂછવા. જો આ વારંવાર થઈ રહ્યું હોય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
તારીખ, દિવસ કે જગ્યા ભૂલી જવી. આ સાથે જ ઘરમાં પણ મૂંઝવણ થતી રહે. કોઈ નવી જગ્યા પર જવું મુશ્કેલ થઈ જાય. અગત્યની તારીખો અને સ્થળ નોટબુકમાં લખો અને યાદશક્તિ માટે એલાર્મ સેટ કરો.
યોગ્ય શબ્દ યાદ ના આવે, વાક્ય બનાવવામાં તકલીફ પડે કે લખવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. દરરોજ ટૂંકુ લખાણના અભ્યાસથી મગજને સક્રિય રાખો.
સાધારણ નિર્ણય લેવામાં સમસ્યા કે રોજિંદી યોજનાઓ અંગે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. આવી સ્થિતિમાં પરિવારના કોઈ સભ્યની મદદ લો.
રોજે-રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓને કોઈ અજાણી જગ્યાએ મૂકી દેવી અને પછી તેને શોધવામાં સમય બગાડવો. આવું વારંવાર થવું ચિંતાજનક થઈ શકે છે.
અલ્ઝાઈમરનું સૌથી મોટું લક્ષણ અચાનક સ્વભાવ ચિડિયો થઈ જવો, ઉદાસી, ડર તેમજ સામાજિક રીતે અલગ-થલગ પડી જવું હોઈ શકે છે.