ચોમાસામાં શરીરને ઠંડુ રાખવા માટે પાઈનેપલ (અનાનસ)નો રસ પીવો


By Kisankumar Sureshkumar Prajapati07, Aug 2025 04:48 PMgujaratijagran.com

પાઈનેપલ

ચોમાસાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે તમે પાઈનેપલના રસનું સેવન કરી શકો છો. આ એક એવું પીણું છે જે શરીરને મજબૂત બનાવશે અને શરીર માટે ફાયદાકારક સાબિત થશે.

શરીરને હાઈડ્રેટ રાખે

દરરોજ પાઈનેપલનો રસ પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. આ સાથે તે શરીરને અંદરથી ઠંડક આપે છે.

પાચનતંત્ર સુધારે

પાઈનેપલમાં બ્રોમેલેન નામનો એન્ઝાઇમ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

શરીરની ગરમી ઘટાડે

ચોમાસામાં શરીરની ગરમી ઓછી કરવા માટે આ રસનું સેવન કરવું જોઈએ. તે શરીરને ઠંડક આપવા ઉપરાંત તમારા શરીરને પણ સ્વસ્થ રાખશે.

વિટામિન સીનો સ્ત્રોત

પાઈનેપલનો રસ વિટામિન-સીનો સારો સ્ત્રોત છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવામાં મદદ કરે છે.

એન્ટી-ઓક્સિડન્ટ ગુણ

પાઈનેપલમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે જે શરીરને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

ત્વચા માટે ફાયદાકારક

પાઈનેપલનો રસ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

શરીરમાં ઊર્જા પૂરી પાડે છે

પાઈનેપલનો રસ શરીરને ઊર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે, જેનાથી શરીર સક્રિય અને સ્વસ્થ રહે છે.

દૂધ સાથે વાસી રોટલી ખાવાના ગજબના ફાયદા