કારેલા સાથે આ ખોરાક ભૂલેચૂકે પણ ન ખાઓ


By Vanraj Dabhi01, Jul 2025 03:49 PMgujaratijagran.com

કારેલા

કારેલામાં વિટામિન, ખનિજો, એન્ટીઓક્સિડન્ટો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. પરંતુ કારેલાને અમુક ખોરાક સાથે સેવન ન કરવા જોઈએ.

દૂધ

દૂધ સાથે કારેલા ખાવાથી પેટની સમસ્યાઓ જેવી કે કબજિયાત, અપચો અને ગેસ થઈ શકે છે.

મૂળા

કારેલા અને મૂળા બંને પેશાબ ઉત્પન્ન કરે છે, તેથી બંનેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ડિહાઇડ્રેશન અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

કેરી

કારેલા અને કેરી બંને એકસાથે ખાવાથી શરીરની ગરમી વધે છે, જેનાથી ખીલ અને ફોલ્લા જેવી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.

ભીંડા

કારેલા અને ભીંડા બંને પચાવવામાં મુશ્કેલ હોવાથી તેમનું એકસાથે સેવન કરવાથી અપચો, કબજિયાત અને પેટમાં દુખાવો થઈ શકે છે.

દહીં

દહીંમાં રહેલા પ્રોબાયોટિક ગુણધર્મો પાચન માટે ફાયદાકારક છે, પરંતુ કારેલા સાથે સેવન કરવાથી પેટમાં દુખાવો અને ઝાડાની સમસ્યા થઈ શકે છે.

અડદ દાળની ખીચડી ખાવાના શું ફાયદા છે?