અસ્થમાના દર્દીઓ ઠંડીમા આ પ્રમાણેનુ રાખો ખાનપાન


By Prince Solanki25, Dec 2023 04:52 PMgujaratijagran.com

અસ્થમાના દર્દીઓ

ઠંડીમા અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ માટે ઠંડીમા અસ્થમાના દર્દીઓએ ખાવાપીવાની બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જરુરી છે.

ખાવાપીવાની બાબતોનુ રાખો ધ્યાન

જ્યારે પણ ખાવાપીવાની આદતો પર ખાસ ધ્યાન ન આપવામા આવે તો કોઈપણ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને ઠંડીના સમયગાળા દરમિયાન અસ્થમાના દર્દીઓએ ખાવાપીવાની આદતો પર વિશેષ ધ્યાન આપવુ જરુરી બની જાય છે.

ખાટી વસ્તુઓ ન ખાઓ

ઠંડીમા અસ્થમાના દર્દીઓ માટે ખાટી વસ્તુઓનુ સેવન કરવુ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ખાટી વસ્તુઓનુ સેવન કરવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે.

આઈસક્રિમ ન ખાઓ

ઠંડીમા લોકો આઈસક્રિમ ખાવાનુ વધારે પસંદ કરતા હોય છે, પરંતુ અસ્થમાના દર્દીઓ માટે આઈસક્રિમ ખાવાથી બચવુ જોઈએ.

ગળુ ખાવાથી બચો

અસ્થમાના દર્દીઓ માટે વધારે માત્રામા ગળુ ખાવાનુ નુકસાનકારક બની શકે છે. જો અસ્થમાના દર્દીઓને ગળુ ખાવાની ઈચ્છા થાય તો ખજૂર અને ગોળનુ સેવન કરી શકે છે.

મગફળી ન ખાઓ

શરીરને ગરમ રાખવા માટે ઠંડીમા મગફળી લોકો ખાતા હોય છે, પણ અસ્થમાના દર્દીઓએ મગફળીનુ સેવન ન કરવુ જોઈએ.

હળદર વાળુ પાણી

ઠંડીમા અસ્થમાના દર્દીઓ માટે હળદર વાળુ પાણી પીવુ લાભદાયક છે. ઠંડીમા અસ્થમાના દર્દીઓએ દિવસમા 2 થી 3 વાર હળદર વાળુ પાણી જરુર પીવુ જોઈએ.

શેકેલુ લસણ

ઠંડીમા અસ્થમાના દર્દીઓએ ખાલી પેટે શેકેલા લસણનુ સેવન કરવુ ફાયદાકારક છે. શેકેલી લસણની કળીઓને તમે મધ સાથે સેવન કરી શકો છો.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

સ્કિન કેર ટિપ્સ : ગ્લોઈંગ સ્કિન માટે ચહેરા પર લગાવો વટાણાનો ફેસ પેક