આ લોકો માટે દેશી ઘીનું સેવન નુકસાનકારક છે


By Jivan Kapuriya03, Aug 2023 11:28 AMgujaratijagran.com

ભારતમાં દરેક ઘરે દેશી ઘીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે.

દેશી ઘીને રોટલી,ખીચડી,ભાત વગેરે ખોરાકો સાથે ખાવામાં આવે છે.

મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો દેશી ઘીને રસોઈમાં તેલનો આરોગ્યપ્રદ વિકલ્પ માને છે.

તેને ઉત્તમ ખોરાકનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણે કે તે વાળથી લઈને ત્વચા સુધી તમ

દેશી ઘી ખાવું ફાયદાકારક કે નુકસાનકારક?

દેશી ઘી ખાનાથી થતા ફાયદાઓ વિશે આપણે ઘણી વાર સાંભળ્યું હશે જે ઘણું સાચું છે,પરંતુ ક્યારેક તે ખાવાથી નુકસાન પણ કરી શકે છે.

ઓફિસ જતા લોકો માટે સારું નથી

જો તમે ઓફિસમાં 8 થી 10 કલાક કામ કરો છો અને શારીરિક રીતે સક્રિય નથી તો દેશી ઘીનું સેવન તમારા માટે સારું નથી.

હાઈ કોલેસ્ટ્રોલ

હાઈ કોલેસ્ટ્રોલ વાળા લોકોએ દેશી ઘી ન ખાવું જોઈએ, જેનાથી કેટલીક સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે

જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો દેશી ઘી ખાવાનું ટાળો, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વઘી શકે છે.

નાળિયેરની મલાઈ ખાવાના જાદુઈ ફાયદા છે, તમને નથી ખબર!, આવો જાણીએ