લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. હવે શોના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે.
એવા અહેવાલો છે કે તારક મહેતા શોના નિર્માતાઓને એક નવી દયાબેન મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે અગાઉ શોમાં દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ ભજવ્યું હતું. આ ભૂમિકામાં તેમને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
પરંતુ વર્ષ 2018માં દિશા વાકાણી પ્રસૂતિ રજા પર ગઈ. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. ચાહકો પણ ઘણા સમયથી દયાભાભી પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
અસિત મોદીએ દયાભાભીના રોલ માટે એક નવી અભિનેત્રી પસંદ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શોની ટીમે નવી દયાબેન સાથે મોક શૂટ શરૂ કરી દીધું છે.
નવી દયાબેન સાથે લગભગ એક અઠવાડિયાથી શૂટિંગ ચાલી રહ્યું છે. તેથી ચાહકો પણ જાણવા માટે ઉત્સુક છે કે નવી દયાબેન કોણ હશે?
તમને જણાવી દઈએ કે નવી દયાબેનના કાસ્ટિંગની ચર્ચા વચ્ચે, દયાભાભીના લુકમાં અભિનેત્રી કાજલ પિસાલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે દયાબેનના ગેટઅપમાં જોવા મળે છે.
એવા અહેવાલો છે કે, અસિત મોદીએ નવી દયાબેનની ભૂમિકા માટે કાજલ પિસાલને ફાઇનલ કરી છે. અભિનેત્રીએ મોક શૂટ પણ શરૂ કરી દીધો છે.
જોકે અમે આ માહિતીમાં કેટલી સત્યતા છે તેની પુષ્ટિ કરતા નથી. હવે સત્ય શું છે તે ફક્ત કાજલ પિસાલ કે શોના નિર્માતાઓ જ કહી શકે છે.
હાલ વાયરલ રિપોર્ટ્સ આધારે ચાહકો કાજલને દયાભાભીના લુકમાં જોઈને ખૂબ જ ખુશ છે. ચાહકો તેને શોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
કાજલ પિસાલ વિશે વાત કરીએ તો, તે ટીવી શો બડે અચ્છે લગતે હૈં, એક હજારો મેં મેરી બહના હૈ, સાથ નિભાના સાથિયા જેવા શોમાં પણ કામ કર્યું છે.