નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાના ફાયદા


By Prince Solanki15, Dec 2023 07:14 PMgujaratijagran.com

ઘી

ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એવામા સવારે ઉઠીને નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી સ્વાસ્થ્યને મળતા ફાયદા વિશે જાણીએ.

એક્સપર્ટની સલાહ

ડોક્ટર એસ.કે પાંડેના જણાવ્યા અનુસાર વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન એ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે પેટ અને હાર્ટ માટે ફાયદાકારક હોય છે.

વજન ઓછુ કરે

નવસેકા ગરમ પાણીમા ઘી નાખીને પીવાથી શરીરની ચરબી ઓછી કરવામા મદદ મળે છે. આ ઉપરાંત મેટાબોલિજમ પણ સુધરે છે.

બ્લડ સર્કુલેશન સુધરે

નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી બ્લડ સર્કુલેશનને સુધારવામા મદદ મળે છે, જેના કારણે હાર્ટ પણ સ્વસ્થ રહે છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે

રોજ નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. ઘીમા રહેલા વિટામિન અને પ્રોટીન રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

આંખો માટે ફાયદાકારક

નવસેકા ગરમ પાણીમા ઘી નાખીને પીવાથી આંખોને ફાયદો મળે છે. ઘીમા વિટામિન એ અને વિટામિન ઈની માત્રા ખૂબ જ હોય છે, જે આંખો સાથે જોડાયેલી સમસ્યાઓમા રાહત કરે છે.

સ્કિન માટે ફાયદાકારક

ઘીમા રહેલા વિટામિન અને પ્રોટીન ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ નવસેકા પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓમા દૂર થાય છે.

હાડકાઓ મજબૂત કરે

ઘીમા વિટામિન ડી પ્રચુર માત્રામા હોય છે. નિયમિત એક ગ્લાસ નવસેકા પાણીમા ઘીને નાખીને પીવાથી હાડકાઓ મજબૂત થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સફેદ મધના જાણીલો આ 4 ફાયદા