ગરમ પાણીમાં ઇલાયચી ઉકાળીને પીવાના ફાયદા


By Hariom Sharma26, Aug 2023 10:00 AMgujaratijagran.com

ગરમ પાણીમાં ઇલાયચી ઉકાળીને પીવું શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. આવો જાણીએ ઇલાયચીને ગરમ પાણીમાં ઉકાળીને પીવાના ફાયદા વિશે.

હૃદય માટે ફાયદાકારક

ઇલાયચીવાળું પાણીનું નિયમિત સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. ઇલાયચીમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ તમારા શરીરમાં સોડિયમ લેવલને બેલેન્સ કરે છે, જેનાથી કોલેસ્ટ્રોલ લવલ ઘટે છે.

બોડીને ડિટોક્સ કરે છે

ઇલાયચીના મિશ્રણવાળું પાણી પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. શરીરમાં રહેલું વિષાત્ક પદાર્થ બહાર નીકળવા લાગે છે. એમાં રહેલું એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન સી બ્લડ સર્ક્યુલેશનનો સુધારો કરે છે.

પાચન માટે ફાયદાકારક

શરીરને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્રનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. ઇલાયચીવાળા પાણીમાં રહેલું ફાયબર તમારા પેટ માટે સારું હોય છે અને આનાથી અપચો, ગેસ અને અસિડિટીની સમસ્યામાં ફાયદો થાય છે.

ઓરલ હેલ્થ સુધરે છે

ઇલાયચીવાળું પાણી પીવાથી તમારા મોઢાંની દુર્ગંધ દૂર થાય છે. ઇલાયચીમાં રહેલા ગુણ તમારા મોઢાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. ઇલાયચીવાળા પાણીનું નિયમિત સેવન કરવાથી મોંઢાની દુર્ગંધથી છુટકારો મળે છે.

વજન ઘટાડે છે

ખરાબ ખાણી-પીણીને કારણે શરીરનું ફેટ વધવા લાગે છે, જેનાથી છુટકારો મેળવવા માટે ઇલાયચીવાળું પાણી પીવાથી ફાયદો થાય છે. ઇલાયચીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરનું ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

પ્રેગનેન્સીમાં મોસંબીનો જ્યૂસ પીવાના ફાયદા