ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવાથી મળે છે આ ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh20, Jul 2023 04:17 PMgujaratijagran.com

આ સમસ્યામાંથી મળશે મુક્તિ

આયુર્વેદ અનુસાર, જે લોકોને પિત્ત, કફ અથવા વાતની સમસ્યા હોય છે. તેમણે રોજ એક ગ્લાસ દૂધીનું જ્યૂસ પીવું જોઈએ. જેનાથી આ તમામ સમસ્યાઓમાં રાહત મળે છે.

પાચનમાં મદદગાર

દૂધીમાં સોલ્યૂબલ ફાઈબર હોય છે. જે તમને ઓવર ઈટિંગથી બચાવે છે. આ ઉપરાંત ફાઈબર ખોરાકને પચવામાં પણ મદદ કરે છે.

લિવરને હેલ્ધી રાખશે

સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવાથી લિવર સબંધિત સમસ્યા દૂર થઈ શકે છે. જે લિવરમાં સોજો દૂર કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે

દૂધીના જ્યૂસમાં પોટેશિયમ મળી આવે છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદરૂપ

યુરિક એસિડનું લેવલ વધવાથી શરીરના અનેક ભાગોમાં સોજા આવી જાય છે. જેના કારણે ઢીંચણમાં દર્દ થવા લાગે છે. દૂધીનો જ્યૂસ આ સમસ્યાને દૂર કરવા માટે ઉત્તમ વિકલ્પ છે.

કેવી રીતે બનાવશો જ્યૂસ

દૂધીને છીણીને તેને નાના-નાના કટકામાં કાપી લો. જે બાદ તેનો જ્યૂસ નીકાળી લો. તમે તેમાં મીઠુ, લીંબુ અથવા ફૂદીનાના પત્તા પણ મિક્સ કરી શકો છો.

વજન ઓછું કરશે

દૂધીના જ્યૂસમાં વિટામિન, પોટેશિયમ અને આયરન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવું ફાયદેમંદ હોય છે.

આ કારણે શરીર પર ફોલ્લીઓ થાય છે