મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. દૂર-દૂરથી લોકો અહીં તેમને જોવા આવે છે.
રોજ હજારો લોકો બાગેશ્વર ધામમાં પોતાના જીવનમાં દિશા અને દિવ્યતાની શોધમાં આવે છે. અને બાબા પાસે પોતાના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરે છે.
ભક્ત જાણવા માંગતો હતો કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો અર્થ શું છે? શું તે ખરેખર સારો સંકેત છે?
બાબાએ કહ્યું કે, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવું એ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ સાતત્ય જળવાય રહે, તો તે એક સારો સંકેત છે.
જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં રોજ જાગો છો, ત્યારે સમજો કે કોઈ અદ્રશ્ય ચેતન શક્તિ તમારો સંપર્ક કરી રહી છે. કોઈ આત્મા છે, કોઈ ઉર્જા છે, જે તમારી સાથે ઊંડે સુધી જોડાયેલી છે. તે તમને જગાડી રહી છે. આ બ્રહ્માંડનો કોલ છે.
બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિ અને સવાર વચ્ચેનો સૂક્ષ્મ સમય છે, જ્યારે બ્રહ્માંડ સૌથી શાંત, શુદ્ધ અને ઉર્જાવાન હોય છે. આ સમયે જાગવું અને ધ્યાન કરવું એ આત્માને પરમ ઉર્જા સાથે જોડવાનો સૌથી શક્તિશાળી માર્ગ માનવામાં આવે છે.
જો તમે ત્રણ વાગ્યે જાગવાનું શરૂ કરો છો, તો તેને અવગણશો નહીં. પથારી છોડીને ધ્યાન કરો. આ ક્ષણ તમને બ્રહ્મા સાથે જોડી શકે છે. આ સમયે કરવામાં આવેલ આત્મનિરીક્ષણ અને ધ્યાન અનેક ગણું વધુ ફળદાયી છે.