અષાઢ મહિનામાં આવતાં વ્રત-તહેવારો


By Kajal Chauhan25, Jun 2025 08:05 AMgujaratijagran.com

અષાઢ મહિનાનું મહત્વ

ચોમાસાની શરૂઆત સાથે હવે વ્રત અને તહેવારોની સિઝન પણ શરૂ થવા જઈ રહી છે. અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. આ મહિનામાં દાન કરવાનો પણ મહિમા છે.

ક્યારે છે અષાઢ મહિનો

અષાઢ મહિનો 26 જૂનથી શરુ થાય છે. 24 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન અષાઢી બીજ રથયાત્રા, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, કાલાષ્ટમી, દિવાસો જેવા તહેવારો આવશે. ચાલો જાણીએ ક્યારે છે

27 જૂન

અષાઢી બીજ 27 જૂન શુક્રવારના રોજ છે. આ દિવસે વિવિધ રાજ્યોમાં જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. સાથે જ આ દિવસ કચ્છમાં રહેતા લોકો નવા વર્ષ તરીકે ઉજવે છે.

6 જુલાઈ

ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી.

9 જુલાઈ

અષાઢ મહીનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ-ગૌરીની પૂજા-ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે.

10 જુલાઈ

ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ છે. આ દિવસે મહાભારતના લેખક વેદ વ્યાસનો જન્મ થયો હતો. વેદ વ્યાસ જીના માનમાં દર વર્ષે અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વેદ વ્યાસજીએ ભાગવત પુરાણનું જ્ઞાન પણ આપ્યું હતું. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આજે આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો