દિવાળી માટે 5 વાસ્તુ ઉપાય, ઘરમાં લક્ષ્મીનો થશે વાસ


By Dimpal Goyal13, Oct 2025 11:08 AMgujaratijagran.com

દિવાળી વાસ્તુ ઉપાય

દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આસો અમાસ તિથિ પર દિવાળી ઉજવાય છે,

દિવાળી 2025 તારીખ

આ વખતે 20 ઓક્ટોબર, 2025 સોમવારે દિવાળી ઉજવવામાં આવશે. દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. જેથી ઘરમાં ધન સંપત્તિનો વાસ રહે. અહીં દિવાળી માટે ખાસ વાસ્તુ ઉપાય વિશે જાણકારી આપી છે. જે કરવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે.

દિવાળી વાસ્તુ ઉપાય

દિવાળીના દિવસે સવારે ઘરની સફાઈ કરો. ત્યાર પછી ઘરમાં કાચુ દૂધ, કેસર, હળદર અને ગંગાજળનું મિશ્રણ કરો, પછી આંબાના પાંદડા વડે આ જળનો ઘરમાં છંટકાવ કરો. એક વાતનું ધ્યાન રાખો બાથરૂમ અને ટોયલેટ જેવી જગ્યા પર આ પાણીનો છંટકાવ કરવાનો નથી. માન્યતા મુજબ આ વાસ્તુ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઘરના દરવાજે તોરણ બાંધો

દિવાળીના દિવસે ગલગોટાના ફુલ, આંબો કે આસોપાલવના પાનનું તોરણ બનાવો. તોરણમાં પાનની સંખ્યા એકી હોવી જોઈએ. ઘર કે ઓફિસના અગ્નિ ખુણામાં 6 દિવા પ્રગટાવો. માન્યતા મુજબ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાંનું આગમન થાય છે.

દાન કરો

દિવાળીના દિવસે પિતૃઓ માટે અનાજ, દૂધ અને મીઠાઇનું દાન કરવું જોઇએ. માન્યતા અનુસાર આ વાસ્તુ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે.

શિવ મંદિરમાં દીપક પ્રગટાવવો

દિવાળીના દિવસે સાંજે શિવ મંદિરમાં શિવલિંગ પાસે એક ઘીનો દીવો પ્રગટાવવાથી પિતૃ દોષ માંથી રાહત મળે છે. તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

મીઠાવાળા પાણીનું પોતું લગાવો

દિવાળીના દિવસે ઘરની નકારાત્મક ઊર્જા કરવા માટે મીઠાવાળા પાણી વડે પોતું મારવું જોઈએ.આ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાંચતા રહો

આધ્યાત્મિક માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રમા એકાદશી પર આ સ્થળોએ દીવો પ્રગટાવવાથી તમારું જીવન સુધરશે