OPEN IN APP

Rishabh Pant: ઉજ્જૈન પહોંચ્યા કુલદીપ અને સૂર્યકુમાર યાદવ, રિષભ પંતના સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

By: Dharmendra Thakur   |   Updated: Mon 23 Jan 2023 10:38 AM (IST)
rishabh-pant-kuldeep-and-suryakumar-yadav-reached-ujjain-mahakal-temple-81500

Rishabh Pant: હાલ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સિરીઝ રમી રહી છે. 3 મેચોની સિરીઝમાં ભારતે પ્રથમ બંને મેચો જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ત્રીજી અને આખરી મેચ આવતીકાલે એટલે 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં રમાનારી છે. એ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગટન સુંદર ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વરના દર્શન કરવા પહોંચ્યા હતા.

સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગટન સુંદરની સાથે ભારતીય ક્રિકેટનો સ્ટાફ પણ મહાકાલેશ્વરના દર્શન કરવા પહોંચ્યો હતો તેમજ તેઓએ બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. તેઓએ સંપૂર્ણ વિધિવિધાનથી બાબા મહાકાલનું પૂજન-અર્ચન કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન ક્રિકેટર્સ ઓમ નમઃ શિવાયનો જાપ કરતા જોવા મળ્યા હતા.

ભારતીય ક્રિકેટના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતી સામેલ થઇને ઘણો આંનદ થઇ રહ્યો છે. બાબા મહાકાલ પાસેથી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવાના આશીર્વાદ માગ્યા છે. તેમજ મારો મિત્ર અને સાથી ક્રિકેટર રિષભ પંતના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.