Chanakya Niti: મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યને ભારતના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજદ્વારી અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં જીવનની સમસ્યાઓ અને તેના નિવારણની સ્પષ્ટ સમજણ આપી છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, સફળ વ્યક્તિ બનવા માટે, સવારે ઉઠતાની સાથે જ આ કામ કરવા જોઈએ.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, રોજ સવારે વહેલું ઉઠવું જોઈએ. મોડે સુધી સૂવું સ્વાસ્થ્ય અને કરિયર બંને માટે સારું નથી. મોડા સમય સુધી સૂવાથી સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, સવારે ઉઠતાની સાથે જ હથેળીઓને જોઈને ભગવાનને યાદ કરો. 'कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती। करमूले स्थितो ब्रह्मा प्रभाते करदर्शनम्।। મંત્રનો જાપ કરો. આમ કરવાથી વ્યક્તિને કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, સવારે ઉઠતાની સાથે જ દિવસની પ્લાનિંગ કરી લેવી જોઈએ. જેથી બધા કામ ટાઈમિંગ પ્રમાણે થઈ જાય. પ્લાનિંગ વગર લક્ષ્ય પ્રાપ્તિમાં વિલંબ અથવા મુશ્કેલી આવી શકે છે.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય સાથે સમાધાન ન કરવું જોઈએ. સફળ વ્યક્તિ બનવા માટે સ્વસ્થ રહેવું જરૂરી છે. રોજ સમય કાઢીને એક્સરસાઈઝ કરવી જોઈએ. સંતુલિત આહારનું સેવન કરવું જોઈએ.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, સખત મહેનતથી સફળતા મેળવી શકાય છે. પોતાની જાતને કહેવું જોઇએ કે એક દિવસ તમે ચોક્કસપણે સફળ વ્યક્તિ બનશો. ભગવાન ચોક્કસપણે મદદ કરશે. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને નકારાત્મકતા દૂર થશે. ઈરાદા બુલંદ રાખો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો