OPEN IN APP

Basant Panchami 2023: બાળકોનું અભ્યાસમાં મન ન લાગતું હોય તો વસંત પંચમીના દિવસે આ ઉપાયો કરો, વિદ્યા પ્રાપ્ત થશે

By: AkshatKumar Pandya   |   Updated: Mon 23 Jan 2023 04:15 PM (IST)
basant-panchami-2023-if-children-do-not-feel-like-studying-do-these-remedies-on-vasant-panchami-81789

Basant Panchami 2023: વસંત પંચમીનો તહેવાર આ વર્ષે 26મી જાન્યુઆરીએ મનાવવામાં આવશે. વસંત પંચમી સરસ્વતી માતાનો તહેવાર છે, આ દિવસે સરસ્વતી માતાની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસંત પંચમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ વસંતપંચમીના દિવસે કરવા માટેના ઉપાયો વિશે.

-જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અથવા તો એકાગ્રતા સાથે અભ્યાસ કરી શકતા નથી, તેઓએ વસંત પંચમીના દિવસે 'ઓમ સરસ્વત્યૈય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. ધ્યાન રાખો કે મંત્રનો જાપ સ્વચ્છ આસન પર બેસીને પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરવો જોઈએ.

-જો તમે લગ્ન જીવનમાં પ્રેમ જાળવી રાખવા માંગતા હોવ તો વસંત પંચમીના દિવસે ભગવતી રતિ અને કામદેવની પૂજા કરતી વખતે તેમને ફૂલ અર્પણ કરવા જોઈએ.

-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેક ઘરમાં વાસ્તુ દોષના કારણે વિદ્યાર્થીને શિક્ષણમાં યોગ્ય પરિણામ નથી મળતું. આવી સ્થિતિમાં તેઓએ વસંત પંચમીના દિવસથી પૂર્વ, ઉત્તર કે ઈશાન દિશામાં અભ્યાસ કરવો જોઈએ. આ દિશાને ધ્યાન અને શાંતિનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ દિશામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીનું મન અને મગજ એકાગ્ર રહે છે.

-'વસંત પંચમી'ના દિવસે બાળકનો હાથ પકડીને કાળા રંગની સ્લેટ પર કંઈક લખવું જોઈએ. વાસ્તવમાં આ ક્રિયાને 'અક્ષરામ્ભ' કહે છે. આમ કરવાથી બાળક શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરશે.

-આ દિવસે વિદ્યાર્થીઓએ માતા સરસ્વતીને કેસર અથવા પીળા ચંદનનો ચાલ્લો કરવો જોઈએ અને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આ સાથે પૂજા સ્થાન પર એક પુસ્તક અને પેન રાખો. આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા હંમેશા બની રહે છે અને વિદ્યાર્થીને જ્ઞાન, બુદ્ધિ અને વિવેકના આશીર્વાદ મળે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.