OPEN IN APP

Sengol In Parliament: સેંગોલને સાત મહિના અગાઉ અલ્હાબાદથી નવી દિલ્હીના મ્યુઝિયમમાં મોકલવામાં આવેલુ

By: Nilesh Zinzuwadia   |   Thu 25 May 2023 09:04 PM (IST)
sengol-was-sent-from-allahabad-to-the-museum-in-new-delhi-seven-months-ago-136474

Sengol In Parliament: નવા સંસદ ભવનમાં સ્થાપિત થનારી ઐતિહાસિક રાજદંડ સેંગોલને સાત મહિના પહેલા એટલે કે 4 નવેમ્બર, 2022ના રોજ અલ્હાબાદ મ્યુઝિયમમાંથી નેશનલ મ્યુઝિયમ દિલ્હીમાં મોકલવામાં આવ્યું હતું. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પાસેથી તેમના અંગત સંગ્રહથી અલાહાબાદ મ્યુઝિયમને પ્રાપ્ત થયું હતું.

દાયકાઓ સુધી આ સેંગોલ મ્યુઝિયમની નહેરુ ગેલેરીમાં પ્રવાસીઓને આકર્ષિત કરતું રહ્યું હતું. વર્ષ 1942માં અલ્હાબાદ મ્યુઝિયમના પ્રથમ ક્યુરેટર તરીકે ફરજ પર રહેલા ડૉ. સતીશ ચંદ્ર કલાના પ્રયાસોને લોકો આજે પણ યાદ કરે છે.

નેહરુ ગેલેરીના ક્યુરેટર ડૉ. વામન વાનખેડે જણાવે છે કે ડૉ. કલાએ પં. નેહરુના અંગત સંગ્રહાલયમાં રાખવામાં આવેલ સેંગોલને અલ્હાબાદ મ્યુઝિયમમાં લાવવાનો પ્રયાસ કર્યો અને 1954માં સફળતા મળી.

15 સપ્ટેમ્બર, 2022ના રોજ, અલ્હાબાદ મ્યુઝિયમના ચેરપર્સન અને રાજ્યપાલ આનંદીબેન પટેલે નિર્દેશ આપ્યો કે આ ઐતિહાસિક લાકડી (સેંગોલ)ને દિલ્હી મ્યુઝિયમમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. 4 નવેમ્બર 2022ના રોજ આ સેંગોલ દિલ્હી મોકલવામાં આવી હતી.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.