West Bengal News:મમતા બેનર્જીના જૂથે મળ્યું ફૂટબોલ પ્લેયરનું સિમ્બોલ, અરૂપ રોય જૂથને કયું ચૂંટણી ચિન્હ મળ્યું તે જાણો

Mamata Banerjee:ચૂંટણી પંચે મૂળ તૃણમૂલ કોંગ્રેસના નામ અને તેમના ચૂંટણી ચિન્હ પ્રતિબંધ બાદ હવે બે જૂથને નવી સત્તાવાર ઓળખ આપવામાં આવી છે. મમતા બેનર્જીના નેતૃત્વ ધરાવતા જૂથને મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામની ફાળવણી કરવામાં આવી છે અને આગામી ચૂંટણી મેદાનમાં તેઓ ફૂટબોલ ખેલાડીના ચૂંટણી ચિન્હ સાથે ઉતરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 18 Sep 2026 10:35 PM (IST)Updated: Fri, 18 Sep 2026 10:35 PM (IST)
mamata-banerjees-faction-has-received-the-football-player-symbol-find-out-which-election-symbol-the-aroop-roy-faction-has-been-allotted

Mamata Banerjee:ચૂંટણી પંચે મૂળ તૃણમૂલ કોંગ્રેસના નામ અને તેમના ચૂંટણી ચિન્હ પ્રતિબંધ બાદ હવે બે જૂથને નવી સત્તાવાર ઓળખ આપવામાં આવી છે. મમતા બેનર્જીના નેતૃત્વ ધરાવતા જૂથને મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામની ફાળવણી કરવામાં આવી છે અને આગામી ચૂંટણી મેદાનમાં તેઓ ફૂટબોલ ખેલાડીના ચૂંટણી ચિન્હ સાથે ઉતરશે. 

મમતા જૂથનું નવું નામ મમતા ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ

ચૂંટણી પંચના આદેશ બાદ બન્ને પ્રતિસ્પર્ધી જૂથને 18 સપ્ટેમ્બરની સવાર સુધી પોતાને માટે ત્રણ નવા નામ અને ચૂંટણી ચિન્હના વિકલ્પ સોંપવાના દિશા-સૂચન આપ્યા હતા. મમતા બેનર્જીએ આ નિર્ણય પર પોતાની સખત વાધો દર્શાવતા ગુરુવારે રાતને પોતાના વિકલ્પ પંચને સોંપ્યા હતા.

 ચૂંટણી પંચે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથનું નવું નામ મંજૂર કરી દીધું છે.આ જૂથનું નામ હવે સત્તાવાર રીતે મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ રાખવામાં આવ્યું છે. બેનર્જીની પાર્ટી હવે ફૂટબોલ પ્રતીકનો ઉપયોગ કરીને ચૂંટણી લડશે.

અરૂપ રોય જૂથને 'લિફાફા' ચૂંટણી પ્રતીક મળ્યું

બીજી તરફ અરૂપ રોયના નેતૃત્વ હેઠળના હરીફ જૂથને પણ ચૂંટણી પંચ દ્વારા એક નવી રાજકીય ઓળખ આપવામાં આવી છે. આ જૂથને સત્તાવાર રીતે 'ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ' નામ આપવામાં આવ્યું છે અને તેને તેના ચૂંટણી પ્રતીક તરીકે 'લિફાફા'ફાળવવામાં આવ્યું છે.

આ નવા નામો અને ચૂંટણી પ્રતીકો સત્તાવાર રીતે લાગુ થયા પછી, બંને જૂથોએ એક મોટી વહીવટી અવરોધ દૂર કર્યો છે. તેઓ હવે આગામી પેટાચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે, જ્યારે મૂળ પક્ષના વારસા અંગેનો અંતિમ વિવાદ ચાલુ રહે છે.

ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય આગામી નંદીગ્રામ અને રાજનગર પેટાચૂંટણીઓ પહેલા બંને જૂથોને સમાન સ્તરે મૂકવાનો હતો, જેના કારણે બંને પક્ષો તેમના મૂળ નામો અને પ્રતીકોનો ઉપયોગ કરી શકતા ન હતા.