Delhi Blast Investigation:તપાસ એજન્સીનો મોટો ધડાકો; ISI એ આંતરરાષ્ટ્રીય નેટવર્કથી દિલ્હીમાં વિસ્ફોટ કરાવ્યા, હવે ઓપરેશન સિંદૂર 2.0નો ખૌફ

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ આ હુમલામાં પોતાની સીધી ભૂમિકા છુપાવવા માટે એક આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી આ હુમલો કર્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 15 Nov 2025 09:50 PM (IST)Updated: Sat 15 Nov 2025 09:50 PM (IST)
delhi-blast-isi-used-international-network-to-hide-role-operation-sindoor-2-possibility-638820

Delhi Blast Investigation: દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં ગુપ્તચર એજન્સીઓએ નવા સંકેતો શોધી કાઢ્યા છે. તેમનો દાવો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ આ હુમલામાં પોતાની સીધી ભૂમિકા છુપાવવા માટે એક આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી આ હુમલો કર્યો હતો.

આ માટે અફઘાનિસ્તાન અને તુર્કી જેવા દેશોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 12 લોકો માર્યા ગયા હતા જ્યારે ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગુપ્તચર બ્યુરોના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ISI ઇચ્છતી ન હતી કે આ હુમલાને કોઈપણ રીતે પાકિસ્તાન સાથે જોડવામાં આવે.

પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ભારતની કડક પ્રતિક્રિયાને કારણે પાકિસ્તાન પહેલાથી જ દબાણ હેઠળ હતું. તે ઇચ્છતું ન હતું કે કોઈ પુરાવા બહાર આવે અને ઓપરેશન સિંદૂર 2.0 જેવી કોઈ ઘટનાનો સામનો કરવો પડે.

ભારતે ચેતવણી આપી હતી
ભારતે ચેતવણી આપી હતી કે આગળ કોઈ પણ આતંકવાદી હુમલાને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે. વધુમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની કડક તપાસને કારણે તેને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવાનું કે બ્લેકલિસ્ટ કરવાનું જોખમ લઈ શકાય નહીં. ISI એ ખાતરી આપી હતી કે ઘટનાની તપાસ દરમિયાન પાકિસ્તાન સાથે કોઈ સીધો સંપર્ક જાહેર ન થાય.

આ કારણોસર જમ્મુ અને કાશ્મીરના રહેવાસી મૌલવી ઇરફાન અહેમદની પસંદગી કરવામાં આવી હતી અને તેને ભારતમાં મોડ્યુલ સ્થાપિત કરવા અને લોકોની ભરતી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના કારણે ફરીદાબાદ મોડ્યુલની રચના થઈ હતી. અહેમદ અને અન્ય ઘણા આરોપીઓ અફઘાનિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હતા.

આ સેલ 2021માં સક્રિય થયો હતો. તપાસમાં તુર્કીયે સાથેના સંબંધો પણ બહાર આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ડૉ. મુઝફ્ફર રાથેર સામે રેડ કોર્નર નોટિસની માંગ કરી છે, જે અત્યારે અફઘાનિસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે.

શું ISI એ મદદ કરી?
ડૉ.મુઝમ્મિલ અહેમદ ગનાઈ અને ડૉ. ઉમર નબી સાથે વર્ષ 2021માં 20 દિવસ માટે તુર્કી ગયા હતા. તપાસ એજન્સીઓ માને છે કે તેઓ ત્યાં ISI નેટવર્ક સાથે જોડાયેલા વ્યક્તિઓને મળ્યા હતા અને મોડ્યુલ સ્થાપિત કરવામાં મદદ માંગી હતી. જોકે તુર્કીના ડિરેક્ટોરેટ ઓફ કોમ્યુનિકેશન્સ - સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશન - એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમના દેશનો ઉપયોગ ઉગ્રવાદ અથવા આતંકવાદ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓ માટે થવા દેવામાં આવશે નહીં.