Assam Train Accident: આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસ હાથીઓના ઝુંડ સાથે અથડાઈ, 8 હાથીઓના મોત અને 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

આસામમાં શનિવારે વહેલી સવારે રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના એક ઝુંડ સાથે અથડાઈ હતી. ટ્રેનની અડફેટે આવવાથી 8 હાથીઓના કરુણ મોત નીપજ્યા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 20 Dec 2025 09:17 AM (IST)Updated: Sat 20 Dec 2025 12:08 PM (IST)
assam-train-accident-several-elephants-killed-in-collision-with-rajdhani-express-658674

Assam Train Accident: આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સૈરાંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના એક ઝુંડ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. વન અધિકારીના જણાવ્યા અનુસાર હોજાઈ જિલ્લામાં થયેલી આ ઘટનામાં ટ્રેનની અડફેટે આવવાથી 8 હાથીઓના કરુણ મોત નીપજ્યા છે.

રેલવે વ્યવહાર પર અસર

મુસાફરોની સુરક્ષા અને રેલવે વ્યવહાર પર અસરઆ ભયાનક દુર્ઘટનામાં રાહતની વાત એ રહી કે કોઈ પણ મુસાફરને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ અકસ્માતને કારણે ઉપરી અસમ અને પૂર્વોત્તર તરફ જતી રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. પાટા પર હાથીઓના મૃતદેહના અવશેષો વિખરાયેલા હોવાને કારણે અને ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેન વ્યવહારને માઠી અસર પહોંચી છે.

દુર્ઘટના સ્થળ અને તંત્રની કામગીરીઆ અકસ્માત પૂર્વોત્તર સીમાંત રેલવે (NFR) ના લુમડિંગ ડિવિઝન અંતર્ગત જમુનામુખ-કામપુર સેક્શનમાં થયો હતો. દુર્ઘટના સ્થળ ગુવાહાટીથી આશરે 126 કિલોમીટર દૂર આવેલું છે. ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ અને રાહત ટ્રેનો બચાવ કામગીરી માટે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થારેલવે તંત્ર દ્વારા અસરગ્રસ્ત મુસાફરોની આગળની યાત્રા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર જે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે તેના મુસાફરોને ટ્રેનના અન્ય ડબ્બાઓમાં ખાલી બર્થ પર કામચલાઉ રીતે બેસાડવામાં આવશે. ત્યારબાદ જ્યારે ટ્રેન ગુવાહાટી પહોંચશે ત્યારે તેમાં વધારાના ડબ્બાઓ જોડવામાં આવશે જેથી તમામ મુસાફરો પોતાની બેઠક મેળવી શકે અને આગળની મુસાફરી ચાલુ રાખી શકે.