Health
World Sleep Day: હ્રદયરોગ સંબધિત બીમારીમાં અપૂરતી ઊંઘ પણ જવાબદાર
રાજકોટ.
World Sleep Day 2023: આપણે બધા જાણીએ છીએ કે, સ્વસ્થ આહાર અને કસરત તંદુરસ્ત જીવન માટે જરૂરી છે. આ સાથે જ પૂરતી ઊંઘ લેવી એ પણ સ્વાસ્થ્ય માટે મહત્વનો મુદ્દો છે. ઊંઘ શરીરને આરામ અને ઊર્જા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. ઊંઘ શારીરિક અને મનોવૈજ્ઞાનિક કાર્યો પર પણ અસર કરે છે. ઊંઘની માત્રા અને ગુણવત્તા જાગતી વખતે શ્રેષ્ઠ સતર્કતા જાળવવામાં મદદ કરે છે.
દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોવા છતાં પુખ્ત વ્યક્તિએ દિવસમાં 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. જ્યારે બાળકોને 8 કલાકથી વધુ ઊંઘની જરૂર હોય છે.
આજકાલ વિવિધ કારણોસર ઘણા લોકોને પૂરતી ઊંઘ નથી મળતી અને તેઓ લાંબા સમય સુધી ઊંઘથી વંચિત રહે છે. કેટલાક લોકો નાર્કોલેપ્સી અને અન્ય રોગો જેવી ઊંઘની વિકૃતિઓથી પીડાય છે. સામાન્ય રીતે ઊંઘની પેટર્ન ઘણા કારણથી બગડતી જોવા મળે છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ દ્વારા 1264 (620 પુરુષ અને 644 મહિલાઓ) લોકો પર કરેલ સર્વેના આધારે કહી શકાય કે,
• 27.90 % લોકો ઊંઘની સમસ્યાઓ અનુભવે છે..
• 21% પુરુષોને કોઈને કોઈ નીંદર સંદર્ભે સમસ્યાઓ છે.
• 36% સ્ત્રીઓને નિંદરની સમસ્યાઓ અનુભવે છે.
• 36.90% પુરુષોએ કહ્યું કે નીંદરની સમસ્યા માટે વ્યસન અને સ્ટ્રેસ જવાબદાર છે.
• 45% સ્ત્રીઓએ કબૂલ્યું કે આવેગિક સમસ્યાઓ અને ઘર કંકાસ નિંદર ની સમસ્યા માટે જવાબદાર..
• કોરોના પછી નિંદર ની સમસ્યાઓ વધી છે એવું 36% લોકોએ જણાવ્યું..
• જુદી-જુદી ચિંતાથી નિંદર નથી આવતી એવું 21% લોકોએ જણાવ્યું..
• ઘર કુટુંબની ચિંતાને કારણે 34.65% લોકોને ઊંઘની સમસ્યા અનુભવાય છે.
ઊંઘમાં વિક્ષેપ થવાના કારણો
• તણાવપૂર્ણ જીવન
• કૌટુંબિક જવાબદારીઓ
• વ્યસ્ત જીવન
• આંતરસ્ત્રાવીય
• હતાશા
• ચિંતા
• થાક
• બેચેની
સ્લીપ ડિસઓર્ડરના લક્ષણો
• ઊંઘમાં મુશ્કેલી
• દિવસભરનો થાક
• દિવસ દરમિયાન ઊંઘવાની તીવ્ર ઇચ્છા.
• અસામાન્ય શ્વાસની પેટર્ન.
• સૂતી વખતે અસામાન્ય હલનચલન અથવા અન્ય અનુભવો.
• ચીડિયાપણું અથવા ચિંતા.
• કાર્ય કરવાના સ્થળે નબળું પ્રદર્શન.
• ધ્યાનનો અભાવ
• હતાશા.
• વજન વધવું.
પ્રકારો
અનિદ્રા:
વ્યક્તિને ઊંઘવામાં અથવા આખી રાત ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે.
સ્લીપ એપનિયા:
આ સ્થિતિમાં, સૂતી વખતે, શ્વાસ લેવામાં જુદી જુદી પેટર્ન થઈ જાય છે
રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ:
ઊંઘમાં થોડી હલચલ કરવાની આ સ્થિતિ છે. જ્યારે વ્યક્તિ સૂવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને પગ સતત હલાવવો જરૂરી લાગે છે.
નાર્કોલેપ્સી:
આ સ્થિતિમાં વ્યક્તિને દિવસ દરમિયાન ઊંઘવાનું મન થાય છે અને અચાનક ઊંઘ આવી જાય છે.