OPEN IN APP

Eating Banana at Night: રાત્રે કેળાનું સેવન કરવાથી થઈ શકે છે નુકસાન, જાણો શું કહે છે એક્સપર્ટ

Side Effects of Eating Banana at Night In Gujarati: જાણો રામ હંસ ચેરિટેબલ હોસ્પિટલ, સિરસાના આયુર્વેદચાર્ય ડૉ. શ્રેય શર્મા પાસેથી રાત્રે કેળાનું સેવન કરવું જોઈએ કે નહીં.

By: Dharmendra Thakur   |   Updated: Sat 27 May 2023 08:01 AM (IST)
side-effects-of-eating-banana-at-night-in-gujarati-136806

Side Effects of Eating Banana at Night In Gujarati: કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેળામાં વિટામિન-બી6, વિટામિન-સી, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. કેળાનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને એનિમિયા અટકાવે છે. કેળાનું સેવન પાચનતંત્ર સુધારે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. કેળાનું સેવન શરીરને ઈન્સટન્ટ એનર્જી આપે છે અને નબળાઈ દૂર થાય છે.

તમે કેટલીક વખત લોકોને સાંભળ્યા હશે કે રાત્રે કેળા ન ખાવા જોઈએ. ત્યારે જાણો રામ હંસ ચેરિટેબલ હોસ્પિટલ, સિરસાના આયુર્વેદચાર્ય ડૉ. શ્રેય શર્મા પાસેથી રાત્રે કેળાનું સેવન કરવું જોઈએ કે નહીં. તેમના જણાવ્યા પ્રમાણે, કેળાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ રાત્રે કેળાનું સેવન કરવાથી લોકોને શરદી, કફ, પેટ ખરાબ અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ કારણે જ રાત્રે કેળાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

રાત્રે કેળાનું સેવન કરવાના નુકસાન

  • કેળાનું સેવન કરવાથી સાઇનસ, અસ્થમા અથવા શ્વાસની સમસ્યાથી પીડિત લોકોની સમસ્યાઓ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીએ કેળાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
  • કેળામાં ફાઈબર અને સ્ટાર્ચ ભરપૂર માત્રામાં મળી આવે છે, જેને કારણે તેને પચવામાં વધુ સમય લાગે છે. તેથી રાત્રે કેળાનું સેવન કરવાથી પેટમાં ગેસ, દુખાવો અને એસિડિટી જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.
  • રાત્રે નિયમિતપણે કેળાનું સેવન કરવાથી વજન વધી શકે છે. કેળામાં સારી માત્રામાં કેલરી મળી આવે છે. તે પચવામાં વધુ સમય લે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે. રાત્રે કેળાનું સેવન કરનાર વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની શકે છે. કારણ કે, રાત્રીના સમયે મેટાબોલિક રેટ ઓછો હોય છે.
  • રાત્રે કેળાનું સેવન કરવાથી શરીરમાં કફ થાય છે તેમજ શરદી-ઉધરસ પણ થઈ શકે છે. રાત્રે નિયમિતપણે કેળાનું સેવન કરતા લોકોને વારંવાર મ્યુકસની સમસ્યા જોવા મળે છે. શરદી-ઉધરસથી પરેશાન વ્યક્તિએ ભૂલથી પણ રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ.

કેળાનું સેવન કરવાનો યોગ્ય સમય
હેલ્થ એક્સપર્ટના મતે કેળાનું સેવન કરવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછીનો છે. આ દરમિયાન કેળાનું સેવન શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. નાસ્તામાં કેળાનું સેવન દિવસભર એનર્જેટિક અને એક્ટિવ રાખે છે. જો કે, સવારે ખાલી પેટ કેળાનું સેવન ટાળવું જોઈએ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.