OPEN IN APP

Nuts For After Exercise: એક્સરસાઇઝ કર્યા પછી ખૂબ જ ફાયદાકારક છે આ નટ્સનું સેવન

By: Dharmendra Thakur   |   Mon 23 Jan 2023 04:19 PM (IST)
consuming-these-nuts-after-exercise-is-very-beneficial-in-gujarati-81765

અમદાવાદ.
Nuts For After Exercise: એક્સરસાઇઝ કરવી એ શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો ફિટ રહેવા માટે જીમમાં જઇને એક્સરસાઇઝ કરે છે. જીમમાં લાંબા સમય બાદ એક્સરસાઇઝ કર્યા પછી લોકો પાણી, જ્યુસ કે શેક વગેરે પીવે છે. લોકોને લાગે છે કે લાંબા સમય સુધી એક્સરસાઇઝ કર્યા પછી શરીરમાંથી પરસેવો નીકળી જાય છે, તેથી તેઓ માત્ર પ્રવાહી વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ જિમ ગયા પછી શરીરને એનર્જીની જરૂર પડે છે.

કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનું સેવન શરીર માટે ફાયદાકારક હોય છે. જીમ કે એક્સરસાઇઝ કર્યા પછી પ્રોટીનનું સેવન કરવું લાભદાયક છે. ઘણા લોકો એક્સરસાઇઝ કર્યા પછી શેનું સેવન કરવું જોઈએ તેને લઇને મૂંઝવણ અનુભવે છે. આવો જાણીએ કેટલાક એવા નટ્સ વિશે જેનું સેવન એક્સરસાઇઝ અથવા વર્કઆઉટ પછી સરળતાથી કરી શકાય છે.

કાજુ
કાજુ ખાવાથી માંસપેશીઓ મજબૂત થાય છે તેમજ તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં આયર્ન, પ્રોટીન, ફાઈબર અને વિટામિન સી વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જિમ કે વર્કઆઉટ પછી કાજુનું સેવન કરી શકાય છે. કાજુ ખાવાથી શરીરનો થાક પણ દૂર થાય છે.

અખરોટ
વર્કઆઉટ કર્યા પછી અખરોટ ખાવાથી માંસપેશીઓ મજબૂત થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. અખરોટમાં આયર્ન, કેલ્શિયમ, ફાઈબર અને ફોલેટ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. અખરોટને ખાલી પલાળીને ખાઈ શકાય છે અથવા તો તે જ રીતે ખાઈ શકાય છે.

બદામ
બદામ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામ ખાવાથી શરીરમાં પ્રોટીનની માત્રા પૂરી થાય છે અને મસલ્સ ફાઇબર્સને રિપેર કરવામાં મદદ મળે છે. બદામમાં પ્રોટીનની સાથેસાથે આયર્ન, કેલ્શિયમ અને વિટામીન E વગેરે ભરપૂર માત્રામાં હોય છે. બદામ ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે. વર્કઆઉટ કર્યા પછી સરળતાથી તેનું સેવન કરી શકાય છે.

મગફળી
વર્કઆઉટ પછી મગફળી ખાવાથી શરીરને એનર્જી મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. મગફળીમાં પ્રોટીન, આયર્ન અને વિટામિન સી વગેરે ભરપૂર માત્રામાં હોય છે. મગફળી ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.

પિસ્તા
પિસ્તા ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં આયર્ન, સોડિયમ, પ્રોટીન અને વિટામિન સી વગેરે મળી આવે છે. પિસ્તા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. વર્કઆઉટ કર્યા પછી સરળતાથી તેનું સેવન કરી શકાય છે.

એક્સરસાઇઝ કર્યા પછી આ નટ્સનું સેવન કરી શકાય છે. પરંતુ જો તમને કોઈ રોગ અથવા એલર્જીની સમસ્યા છે, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.