8th Pay Commission:કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 8માં પગાર પંચની ભલામણોની પ્રક્રિયા બાદ તેને અમલી બનાવવામાં આવે તે અંગે વ્યાપક રીતે રાહ જોવામાં આવી રહી છે. આ કડના ભાગરૂપે પગાર પંચની એક મહત્વની બેઠક ચંડીગઢમાં યોજાઈ રહી છે અને આગામી મહિને બેંગલુરુ ખાતે વિચાર મંથન થશે. બેંગ્લુરુની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનો 18 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
હકીકતમાં પગાર પંચ 7 અને 8 ઓક્ટોબર 2026ના રોજ બેંગ્લુરુનો પ્રવાસ કરશે. આ દરમિયાન કર્મચારીઓ સાથે સંકળાયેલ સંગઠનો, સંસ્થાઓ, એસોસિએશનો તથા યુનિયનો પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેની માંગ અને સૂચનો અંગે ચર્ચા કરશે. પગાર પંચે એક નોટિફિકેશનમાં સ્પષ્ટ કર્યું છે કે જે સંગઠન બેંગ્લુરુમાં પંચ સાથે બેઠક યોજવા ઈચ્છે છ તેઓ 18 સપ્ટેમ્બર 2026 સુધીમાં અપોઇન્ટમેન્ટ માટે પોતાના અનુરોધ રજૂ કરી શકે છે. એટલે કે સંગઠનો પાસે અરજી કરવા માટે 18 સપ્ટેમ્બર સુધીનો સમય છે.
કોણ પાત્ર બનશે?
બેંગલુરુમાં આ બેઠકમાં કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સંગઠનો, સંસ્થાઓ, સંગઠનો અને યુનિયનો પગાર પંચ સમક્ષ પોતાના વિચારો રજૂ કરી શકે છે. ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અન્ય સંબંધિત હિસ્સેદારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ કમિશન સાથે બેઠકની વિનંતી કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 3 નવેમ્બર, 2025ના રોજ કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવી હતી.આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય સંબંધિત શ્રેણીઓના પગાર, ભથ્થાં અને સેવાની શરતો સંબંધિત બાબતો પર ભલામણો કરવા માટે જવાબદાર છે.કમિશન કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો એકત્રિત કરવા માટે વિવિધ શહેરોની મુલાકાત લઈ રહ્યું છે. કમિશન બેંગલુરુની મુલાકાત દરમિયાન આ પ્રક્રિયા ચાલુ રાખશે.
ભલામણો ક્યારે લાગુ કરી શકાય?
પગાર પંચનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરે છે. આ પંચમાં સભ્ય-સચિવ પંકજ જૈન (ભૂતપૂર્વ IAS) અને સભ્ય પ્રોફેસર પુલક ઘોષ (નાણા પ્રોફેસર અને વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય) પણ શામેલ છે.
