IRCTC Tour Package: કર્ણાટક સરકારે IRCTC લિમિટેડના સહયોગથી યાત્રાળુઓ માટે એક ખાસ થીમ-આધારિત યાત્રા પ્રવાસ કર્ણાટક ભારત ગૌરવ દક્ષિણ યાત્રા (IRCTC Tour Package)ની જાહેરાત કરી છે. આ પ્રવાસનું આયોજન ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા કરવામાં આવી રહ્યું છે જે દક્ષિણ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે કન્યાકુમારી, તિરુવનંતપુરમ, રામેશ્વરમ અને મદુરાઈને આવરી લે છે.
ભાડું કેટલું હશે ?
આ યાત્રા 4 જાન્યુઆરી, 2026ના રોજ બેલગામથી શરૂ થશે, જે 5 રાત અને 6 દિવસની હશે. આ ખાસ યાત્રાનો કુલ ખર્ચ પ્રતિ વ્યક્તિ ₹ 15000 છે. નોંધપાત્ર રીતે કર્ણાટકના વતનીઓને રાજ્ય સરકાર તરફથી ₹ 5000ની સબસિડી મળશે જેનાથી આ યાત્રા વધુ સસ્તી બનશે.
કયાં કયાં ફરવા મળશે?
યાત્રા દરમિયાન ભક્તો કન્યાકુમારીમાં ભગવતી અમ્માન મંદિર અને વિવેકાનંદ રોક મેમોરિયલ, તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભસ્વામી મંદિર, રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિર અને મદુરાઈમાં વિશ્વ વિખ્યાત મીનાક્ષી અમ્માન મંદિરની મુલાકાત લઈ શકશે. આ યાત્રા બેલગામ, હુબલી, હાવેરી દાવણગેરે, બિરુર, તુમકુર અને SMVT બેંગલુરુ જેવા મુખ્ય સ્ટેશનોમાંથી પસાર થશે.
શેનો અલગથી ચાર્જ લાગશે?
ભારત ગૌરવ ટ્રેનમાં 3AC ક્લાસની મુસાફરી, એર કન્ડિશન્ડ વગરની હોટલોમાં રહેવાની સુવિધા, શાકાહારી ભોજન, સ્થાનિક પરિવહન, જોવાલાયક સ્થળોનો પ્રવાસ, મુસાફરી વીમો અને ટ્રેનમાં સુરક્ષાનો સમાવેશ થાય છે. જોકે, બોટિંગ, વ્યક્તિગત ખર્ચ, મંદિર પ્રવેશ ફી અને ગાઇડ ફી પેકેજમાં સામેલ નથી.
આ યાત્રાધામ એવા યાત્રાળુઓ માટે એક સુવર્ણ તક આપે છે જેઓ દક્ષિણ ભારતના મુખ્ય યાત્રાધામોની મુલાકાત સંગઠિત, સલામત અને સસ્તા દરે લેવા માંગે છે. કર્ણાટક સરકારની આ પહેલને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા અને સામાન્ય નાગરિકોને આધ્યાત્મિક અનુભવો પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
સ્ત્રોત- IRCTC
