Edelweiss AMC: ઍડલવાઇસ AMCએ ગિફ્ટ સિટીખાતે શાખા,ઍડલવાઇસ ઇન્ડિયા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ - સિરીઝ I, કૅટેગરી III AIF લૉન્ચ કર્યાં

હાલમાં ભારતનું અર્થતંત્ર વિકાસની લહેર પર સવારી કરી રહ્યું છે - જે 4.27 ટ્રિલિયન ડૉલરના GDP સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 19 Dec 2025 11:05 PM (IST)Updated: Fri 19 Dec 2025 11:05 PM (IST)
edelweiss-amc-launches-gift-city-branch-and-first-of-its-kind-india-multimanager-equity-fund-658552

Edelweiss AMC:ઍડલવાઇસ અસેટ મેનેજમેન્ટ લિમિટેડ (ઍડલવાઇસ AMC) દ્વારા 19 ઑગસ્ટ, 2025ના રોજ ગિફ્ટ સિટીમાં તેની કોઈ શાખા ખોલવા ઉપરાંત ઍડલવાઇસ ઇન્ડિયા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ - સિરીઝ I, પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. ઍડલવાઇસ AMC દ્વારા તેની વૈશ્વિક વૃદ્ધિ સંબંધિત વ્યૂહરચનામાં આ કોઈ મુખ્ય સીમાચિહ્નરૂપ તબક્કો છે, જે તેના ટેક્સ સંબંધિત પ્રોત્સાહનો, સરળ અનુપાલન, વિશ્વસ્તરીય માળખાગત સુવિધા અને રોકાણકારો માટે સુસંગત ઇકોસિસ્ટમ સાથે ભારતના અગ્રણી IFSC તરીકે ગિફ્ટ સિટીના દરજ્જાનો લાભ મેળવી શકે છે.

આ લૉન્ચ સમયે ઍડલવાઇસ AMCના MD અને CEO રાધિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં અમારા આ લૉન્ચ સાથે અમે વૈશ્વિક રોકાણકારોને ભારતની વૃદ્ધિમાં ભાગ લેવા માટે વિશ્વસનીય અને કાર્યક્ષમ પથ પ્રદાન કરવા માટે સર્વોત્તમ સ્થિતિમાં છીએ, આની સાથે જ ભારતીય રોકાણકારોને વૈશ્વિક પ્રોડક્ટની વિશાળ શ્રેણીનો ઍક્સેસ મેળવવા માટે સક્ષમ બનાવીએ છીએ.

નિયમોમાં સ્પષ્ટતા, સ્પર્ધાત્મક ખર્ચ અને સીમલેસ ક્રોસ-બોર્ડર ઍક્સેસ સાથે ગિફ્ટ સિટી વિશ્વસ્તરીય પ્લૅટફોર્મ પ્રદાન કરે છે—જે વૈશ્વિક રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવાનું તેમજ ભારતીય રોકાણકારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણમાં વૈવિધ્યીકરણની સરળતા પ્રદાન કરે છે.

ઍડલવાઇસ AMCના પ્રેસિડેન્ટ અને હેડ - સેલ્સ દીપક જૈને ઉમેર્યું હતું કે,ગિફ્ટ સિટીમાં અમારું આ પહેલું ફંડ, ઍડલવાઇસ ઇન્ડિયા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ - સિરીઝ I, રોકાણકારોને ભારતની વૃદ્ધિ યાત્રામાં સહભાગી થવા માટે કોઈ સરળ, સંશોધન-આધારિત રીત પ્રદાન કરે છે.

હાલમાં ભારતનું અર્થતંત્ર વિકાસની લહેર પર સવારી કરી રહ્યું છે - જે 4.27 ટ્રિલિયન ડૉલરના GDP સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે, જે માળખાગત સુવિધાઓ, વ્યવસાયમાં અસંખ્ય સુધારાઓ, ટેક્નોલોજી, વસ્તીવિષયક ડિવિડન્ડ અને સસ્ટેનિબિલિટી જેવા વિકાસના મહત્ત્વના પરિબળો દ્વારા સંચાલિત છે.

ભારતની લગભગ 60% જેટલી વસ્તી કામકાજ કરનારી વયની હોવાથી ભારત વસ્તીવિષયક ડિવિડન્ડનો આનંદ માણે છે, જેનો લાભ આગામી 30 વર્ષ સુધી આપણને મળવાની અપેક્ષા છે. કુલ વસ્તીમાં કામકાજ કરનારી વયની વસ્તીનું પ્રમાણ મોટું હોવાને કારણે GDP વૃદ્ધિ દર ઊંચો રહેવાની સંભાવના છે, જે વપરાશને વધુ વેગ આપશે તેમજ મેન્યુફેક્ચરિંગ સંબંધી સેવાઓ અને નિકાસને પણ વેગીલી બનાવશે. આવી તકોમાં રોકાણ કરનારાઓ માટે જ રચવામાં આવેલા વિશિષ્ટ મ્યુચ્યુઅલ ફંડ, લાંબા ગાળાની સંપત્તિના સર્જન માટે યોગ્ય રહેશે.