Canada student visa:કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં વિઝા નકારી(Visa Denied) દેવાનું પ્રમાણ વધ્યું છે. ઓગસ્ટ 2025માં કેનેડામાં દરેક ચારમાંથી લગભગ ત્રણ ભારતીય વિદ્યાર્થીની વિઝા અરજી(Indian Student Visa Applications) નકારી કાઢવામાં આવી હતી, તેમ સત્તાવાર ઇમિગ્રેશન ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.
સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ પ્રમાણે ઓગસ્ટ 2023માં 32% થી 74% અસ્વીકાર દરમાં ભારે વધારો થયો છે. તેની તુલનામાં બંને વર્ષોમાં તમામ ગ્લોબલ સ્ટુડેન્ટ પરમિટ એપ્લિકેશન્સ(Global Student Permit Applications) આશરે 40% નકારી કાઢવામાં આવી હતી જ્યારે ચીનના વિદ્યાર્થીઓ માટે અરજી નકારી કાઢવાનું પ્રમાણ 24% હતું.
ભારતીય અરજદારો(Indian applicants)ની સંખ્યામાં પણ નાટ્યાત્મક ઘટાડો થયો
ભારતીય અરજદારો(Indian applicants)ની સંખ્યામાં પણ નાટ્યાત્મક ઘટાડો થયો છે.ઓગસ્ટ 2023માં 20,900થી ઓગસ્ટ 2025 દરમિયાન 4,515 ઘટાડો થયો હતો. આ ઘટાડા છતાં ભારતે 1,000થી વધુ સ્વીકારાયેલા અરજદારો સાથે બધા દેશોમાં સૌથી વધુ રદ્દ કરવાનો દર રેકોર્ડ કરવાનું જાળવી રાખ્યું હતું.
ભારત-કેનેડા સંબંધો(India-Canada relations)માં તણાવ વચ્ચે અસ્વીકારમાં વધારો
નવી દિલ્હી અને ઓટાવા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા માટે ઈન્કાર કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.ગયા વર્ષે ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વર્ષ 2023 માં કેનેડિયન શીખ અલગતાવાદી નેતાની હત્યામાં ભારતીયોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો ત્યારથી સંબંધોમાં તિરાડ પડી હતી - આ દાવાને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યાં હતા.
નકલી પ્રવેશ પત્ર કૌભાંડ(Fake Admission Letter Scam) બાદ ઓટાવાની કડક તપાસ (Ottawa tightens checks)
કેનેડાના ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું હતું કે તેણે વર્ષ 2023માં 1,550થી વધુ નકલી સ્ટડી પરમિટ અરજીઓનો પર્દાફાશ કર્યા પછી છેતરપિંડી શોધવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે, જેમાંથી મોટાભાગની અરજીઓ ભારતીય એજન્ટોના બનાવટી સ્વીકૃતિ પત્રો સાથે જોડાયેલી છે. ગયા વર્ષે ઉન્નત ચકાસણી પ્રણાલીઓએ વૈશ્વિક સ્તરે 14,000 થી વધુ સંભવિત રીતે છેતરપિંડી કરનારા દસ્તાવેજોને ઓળખ્યા હતા.
